Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 224
________________ R ભારતીય ધ (૧) હું જ તારા પ્રભુ છું. મારા વિના તારે અન્યની ઉપાસના કરવી નહિ (એકેશ્વરવાદની ભાવના). (૨) ઉપાસના માટે મૂર્તિ ઘડવી નહીં" (મૂર્તિપૂજાના વિરાધ). (૩) દેવના નામે ખાટા સાગંદ ખાવા નિહ (સત્ય ખેાલવું). (૪) છ વરસ તુ તારા ખેતરમાં વાવેતર કર અને સાતમા વરસે તેને પડતર રાખ કે જેથી પશુપંખીએને પૂરતા ખારાક મળે (શ્રમનુ મહત્ત્વ અને જીવધ્યાની ભાવના). (૫) તારા માતા-પિતાને માન આપ (વડીલેા તરફ સદ્ભાવ) (૬) ખૂન કરીશ નહિ (અહિંસાની ભાવના). (૭) વ્યભિચાર કરીશ નહિ (બ્રહ્મચ ). (૮) ચેરી કરીશ નહિ. (૯) તારા પાડેાશી વિરુદ્ધ ખાટી સાક્ષી પૂરીશ નહિ. (૧૦) તારા પાડાશીના ઘર કે માલમિલકત ઉપર લાભી નજર નાખીશ નહિ (લાભના ત્યાગ). આ સે. આનાઐમાં માનાવજીવનના ઉત્તમ આદર્શ સમાયેલા છે. આ આષ વાણી ‘તારાહ' યીધર્મના મુખ્ય ધર્મ ગ્રંથમાં સચવાયેલ છે. આ આજ્ઞાએ દ્વારા પયગંબર મેઝીઝે નૈતિક જીવનના આદર્શ રજૂ કરેલ છે. અને તેના દ્વારા યહૂદી પ્રજાને શક્તિશાળી અને ધાર્મિક બનાવવાના પ્રયત્ન કરેલ છે. આ દસ આજ્ઞાઓમાં કાઈ તત્ત્વજ્ઞાન કે ગૂઢ રહસ્ય દેખાતું નથી, પણ સમાજની ધર્મભાવના ટકાવી રાખવાનાં ઉત્તમ સૂચના છે આ આજ્ઞાઓ દ્વારા પયગંબર મેાઝીઝે અન્ય ધર્મગુરુઓની માફક મૂર્તિ પૂજાના વિરાધ કરી એકેશ્વરવાદના પ્રચાર કર્યાં છે. પથા યી ધર્મના મુખ્ય ગ્રંથ તારા'ના સમયે સમયે કરાતા અર્થ ઘટનને પરિણામે યદી ધર્માંમાં ફારસી, સેડઘુસી, ઈસી અને થેરાપ્યુટી નામના પંથે! અસ્તિત્વમાં આવ્યા, ફ્રારિસીએ કર્મકાંડ અને સ તાની આજ્ઞાને ચુસ્તપણે માનતા. સેડયુસી સુધારકાના સ ંપ્રદાયના અનુયાયી મનાતા. ઈસી પંથના અનુયાયીએ ઇન્દ્રિયદમનને મહત્ત્વ આપતા. માંસમદિરાના ત્યાગ કરતા. થેરાપ્યુટી પથના અનુયાયીએ પ્રાર્થના અને શુદ્ધ આચારને મહત્ત્વ આપતા. આ સવ સંપ્રદાયના પાયાના સિદ્ધાંતામાં કાઈ તફાવત ન હતા. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240