SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ધર્મો અને હિંદુ તરીકે ઓળખાતી પ્રજા જુદી ભાષા, જુદી માન્યતાઓ, જુદી ધર્મભાવના, ક્રિયાઓ, રીતરિવાજો ધરાવતી અલગ પ્રજા બની ગઈ. તેઓમાં ધાર્મિક સંઘર્ષ વધી પડતાં તેઓ એકબીજાના દેવાને પણ નિંદવા લાગ્યા. દા. ત. હિંદુધર્મમાં દેવ” પવિત્ર શબ્દ મનાય છે. ઈરાનીઓએ એને અર્થ દૈત્ય” તરીકે ઘટાવ્યો છે. હિંદુઓએ પારસીઓના પવિત્ર મનાતા શબ્દ અહુરને અર્થ અસુર તરીકે ઘટાવ્યો. અ જરથુષ્ટ્રના જન્મ પહેલાંના સમાજમાં વિવિધ દેવદેવીઓની ઉપાસના, સોમપાન, કર્મકાંડ, બલિદાન વગેરે પ્રચલિત હતાં. સામાન્ય માનવી જાદુમંતર, - વહેમ, મેલી વિદ્યાની ઉપાસના વગેરે દુષ્ટ તમાં ફસાયેલું હતું. રોગ મટાડવા મેલી વિદ્યાનો આશ્રય લેવામાં આવતું. ચારેબાજુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ઈર્ષ્યાનું વાતાવરણ છવાયેલું હતું. રાજ અને ધર્મગુરુઓ પ્રજા ઉપર પુકળ ત્રાસ વર્તાવતા હતા. જુદા જુદા સમયે અનેક ધર્મ ગુરુઓએ ઈરાનની પ્રજાને સાચા ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા પણ તેમાં રાજા જમશીદ જેવી સફળતા અન્ય કેઈને ન મળી. જમશી પ્રજામાં અદ્દરમઝ અને અગ્નિની મહત્તા વધારી, અમરક્ની પૂજા દ્વારા એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેના પછી ફરી પાછા ઈરાની સમાજ દુઃખ અને અન્યાયની ચક્કીમાં પિસાવા લાગ્યો. આવા સમયે તે સત્યને - સાકાર કરવા ઈશ્વરી શક્તિ સ્પતમ જરથુષ્ટ્રના સ્વરૂપે પૃથ્વી ઉપર અવતરી. - અષો જરથુષ્ટ્રનું જીવન અને કાય અષે જરથુષ્ટ્ર સામાન્યતઃ ઈ. સ. પૂ. ૯મી સદીથી ૬ઠ્ઠી સદીમાં થઈ ગયા કહેવાનું મનાય છે. જેમ અો જરથુષ્ટ્રને યુગ નક્કી કરવાનું મુશ્કેલ છે તેમ તેમના - વિષેની પ્રમાણિત માહિતી મેળવવી પણ મુશ્કેલ છે. તેમના જીવન વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે. સામાન્ય રીતે અષે જરથુષ્ટ્રના જીવન વિશેની છૂટીછવાઈ માહિતી જરથોસ્તી ધર્મગ્રંથ અવતા, સાહિત્ય, પહેલવી સાહિત્ય વગેરેમાંથી મળે છે. ફારસી સાધનામાં ઈ. સ. ૧૦૦૦માં ફિરદૌસીએ રચેલા શાહનામામાંથી કેટલીક વિગતે મળે છે. આ સર્વ ગ્રંથને આધારે અષે જરથુષ્ટ્ર ભારતના વેદકાળના અંતભાગમાં થયા હોય તે સામાન્ય મત પ્રવર્તે છે. જરથુષ્ટ્ર અસલ . અવતાને શબ્દ છે. ભારતમાં પારસીઓ તેમને જરાસ્ત તરીકે ઓળખે છે. જરથુષ્ટ્રને જન્મ પશ્ચિમ ઈરાનના મિડિયા પ્રાંતમાં આવેલા “રએ (રધ) શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ “પરુશસ્ય અને માતાનું નામ દૈવા’ - હતું. જરથુષ્ટ્રના કુલનું નામ “સ્પીતમ હોવાથી તેઓ બાળપણમાં સ્પીતમ જરથુષ્ટ્ર તરીકે ઓળખાતા હતા. અન્ય પયગંબરોની માફક જરથુષ્ટ્રના જીવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy