Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 209
________________ ભારતમાં ખ્રિસ્તી ધર્મોના પ્રસાર ઘણા પ્રાચીનકાલથી ખ્રિસ્તી ધર્મ ભારતમાં પ્રવેશ કર્યો હોય તેમ જણાય છે. ઈ. સ.ની ખીજી સદીમાં ખ્રિસ્તી મિશનરીએએ ભારતની મુલાકાત લીધી હતી. તેમણે સિલાન અને દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મલબારના પ્રદેશમાં ખ્રિસ્તી દેવળ અને વસાહતા સ્થાયી હતો. અહીં ખ્રિસ્તી ધર્મના અનુયાયીએ સ્થાનિક પ્રજા સાથે હળીમળીને રહેતા હતા. રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મ ને માટે કાઈ અવરોધ કે અડચણા થતી નહીં. બહુ જૂજ સંખ્યામાં તેએ અહીં વસતા હતા. ઈસુની છઠ્ઠી સદી દરમ્યાન આ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીએની સંખ્યા વધવા લાગી હતી. આ સમયે તેમણે ભારતીય સમાજમાં કાઈ માભાદાર સ્થાન પ્રાપ્ત કર્યું ન હતું. તે સાગરકિનારે એક અલગ વેપારી પરદેશી વસાહત તરીકે પોતાનું સ્થાન, ધર્મ, ધાંધા વગેરે સાચવીને રહેતા હતા. આ લેાકેા નેસ્ટોરિયન (Nestorians) હતા અને ઈરાનના દેવળના અંકુશ હેઠળ રહેતા. તેઓ સ જેરુસલેમના ધર્મ ગુરુઓના અનુયાયીઓ હતા. ઈ. સ. ૭૭૪ના દક્ષિણુના વીર્ રાધવ ચક્રવર્તીના કાટ્ટાયમ દાનપત્ર પરથી જાણવા મળે છે કે આ રાનએ ખ્રિસ્તી સમુદાયના અગ્રણીને દાન આપ્યું હતું. ૯ ખ્રિસ્તી ધર્મ આ સર્વે ઉપરથી એટલું ફલિત થાય છે કે ઈ. સ.ની બીજી સદીથી શરૂ કરી લગભગ સાતમી—આઠમી સદી દરમ્યાન દક્ષિણ ભારતમાં વેપાર અર્થે આવેલા ખ્રિસ્તી ધર્મના અનુયાયીએએ મલબાર કિનારાના પ્રદેશમાં પેાતાની નાની મેાટી વસાહત સ્થાપી હતી. તેઓએ પેાતાના ધર્મનાં દેવળા સ્થાપીને કેટલાક ધર્મ - ગુરુએને ત્યાં વસાવ્યા હતા. આ ધર્માંગુરુએ સ્થાનિક પ્રજા સાથે સુમેળ સાધીને ખ્રિસ્તીધમ ના પ્રચાર કરતા હતા. ભારતમાં ખરેખર ખ્રિસ્તી ધર્મના પ્રસાર પોર્ટુગીઝના આગમન પછી વ્યાપક પ્રમાણમાં શરૂ થયા, ધર્મયુદ્ધોના પરિણામે યુરેાપની પ્રજાના પેાતાના વેપાર અર્થે નવા જળમાર્ગ શોધવાની ફરજ પડતાં સ્પેન અને પોર્ટુગલની પ્રજાએ નવા જળમાર્ગ શોધવાના આરંભ કર્યો, આ દેશની પ્રજામાં ખ્રિસ્તી ધર્મ ના કેથલિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240