Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 197
________________ જરથોસ્તી ધર્મ ઉપરાંત વિવિધ સ્થળોએ પારસીઓ માટે શાળાઓ શરૂ કરી રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે પણ તેમણે મહત્ત્વની કામગીરી બજાવી છે. વિદેશમાં ભારતને ગૌરવ વંતુ સ્થાન અપાવ્યું છે. પારસીઓ ઘણું મિલનસાર અને સ્વભાવે શાંતિપ્રિય છે. ભારતના નામાંકિત નગર મુંબઈને વિકસાવવામાં પારસીઓનું સ્થાન મોખરે છે. જરથોસ્તી ધર્મની પ્રાચીનતા જરથોસ્તી ધર્મ ઈરાનના મહાન પયગંબર અષો જરથુષ્ટ્ર પ્રવર્તાલેઈરાનની ભૂમિ ફળદ્રુપ અને ખેતી લાયક હોવાથી અહીંની પ્રજાના જીવનમાં ખેતીને: સવિશેષ સ્થાન હતું. પ્રજા શ્રમજીવી હોવાથી સ્વભાવે તે નમ્ર અને દયાળુ હતી. યહૂદી પ્રજાની જેમ ઈરાનની પ્રજાને પણ મુસ્લિમોના અત્યાચારને લીધે પિતાનું વતન છોડવું પડયું હતું. આ પ્રજા સ્વભાવે શક્તિશાળી અને ગૌરવશાળી હોવાથી તેઓ જ્યાં ગયા ત્યાં તેમણે પોતાની આગવી સંસ્કૃતિ વિકસાવી. પિતાના ધર્મનું રક્ષણ કર્યું. આના પરિણામે આજે પણ જરથોસ્તી ધર્મ તેના મૂળ સ્વરૂપે ટકી. રહ્યું છે. ઈરાનીઓ મૂળમાં આર્ય પ્રજા છે. ઈરાનને પ્રાચીન ધમ ભારતના વેદ-.. ધર્મ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ઈરાનની ધર્મભાવના વિકસાવવામાં ઈરાનના પ્રતાપી રાજા પેશદાદી શાહ જમશેદે મહત્ત્વનો ફાળો આપ્યો હતે. અ જરથુષ્ટના જન્મ પહેલાં ભારતીય-ઈરાની યુગમાં જરથુસ્તીઓ અને ભારતના અને પૂર્વ એક જ સ્થળે વસતા, એક જ ભાષા બોલતા અને એક જ ધર્મ પાળતા. તેમની ધાર્મિક માન્યતાઓ પણ એકસરખી હતી. તેઓ સર્વે પ્રકૃતિપૂજક હતા. તે સમયનાં દેવદેવીઓના નામ આપણને જસ્તી યગ્નમાં (પ્રાચીન ધર્મગ્રંથ). અને વેદમાંથી મળી આવે છે. દા. ત. વરુણ, અગ્નિ, ઈન્દ્ર, મહુત, મિથ, ઉષસૂ, તિસ્તર વગેરે. આ સમયે ઈરાનની પ્રજામાં અકેશ્વરવાદ પ્રચલિત હતા. સમય જતાં તેમાં જુદી જુદી ધર્મભાવના વિકસતાં ઈરાનના ધર્મમાં પરિવર્તન. થવા લાગ્યું. આ દેવદેવીઓએ જરથોસ્તી ધર્મમાં ફિરસ્તાનું રૂપ ધારણ કર્યું. જેમને હિંદુઓ દેવદેવીઓ તરીકે ઓળખે છે તેમને જરથુસ્તીએ ફિરસ્તા તરીકે ઓળખે છે. વર્ષો સુધી સાથે રહેલી પ્રજામાં ધાર્મિક મતભેદે ઊભા થતાં આંતરકલહ વધી ગયે. પરિણામે સાથે રહેવું મુશ્કેલ બનતાં એ પ્રજાને મોટે સમૂહ ઈરાન છોડી ભારતમાં સિંધુ નદીના કાંઠે આવી વસવા લાગ્યું. અવસ્તા ભાષામાં સંસ્કૃતમાં “સને ઠેકાણે “હ” વપરાય છે અને તેથી જરથુસ્તીઓ સિંધુ નદીના પ્રદેશમાં વસેલી પ્રજાને “હિંદુ' તરીકે ઓળખવા લાગ્યા. સમય જતાં ઈરાનીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240