________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધા જ સરખા ? મારવામાં ધર્મ નહિ? નવું હતું આ બધું. પહેલાં કદીય આ સાંભળ્યું ન હતું. અરે ? આવે કઈ માનવ જે ન હતો.
મોં પર જીવંત શાનિત બેઠી હતી. આંખોમાંથી અમાપ કરુણ છલતી હતી. શરીરમાંથી એક તેજવિતા પ્રકટતી હતી. એવું એ ભાવભીનું બોલતો હતો કે જીવ જાણે અંદરથી એના તરફ ખેંચાતું હતું, અને એવા ધીમે પગલે ચાલતે કે રખેને નાની કડી પણ એને પગ તળે કચરાઈ ન જાય. કીશર એ મહાત્માને જોઈ રહ્ય, એ પગે પડ્યો.
મહારાજ ? મને પ્રભુ મળે ખરા ? મારે એમનાં દર્શન કરવા છે. ”
બેટા? તું ખૂદ પ્રભુ બની શકે છે.” મહારાજ? ” એ કેવી રીતે?
મારા ઉપાશ્રયે આવજે, એ બધું જ તને હું બતાવીશ..”
કીશોરનું મન નાચી ઊઠયું. હું હવે ભગવાન બની શકીશ. માનવ મટીને હવે હું ઈશ્વર થઈશ.
અને ઈશ્વર બનવાની એની જિજ્ઞાસા ભરી પૂનમાં એના જીવનનું પાસુ બદલાયું.
ઉપાશ્રય રોજને થઈ ગયે. જૈન સાધુને સંગ
For Private And Personal Use Only