________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
બંધાવીને તેમાં પ્રભુપ્રતિમાને પ્રતિષ્ઠા કરાવીને સ્થાપન કરી. તથા અન્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તેથી રાણું ઘણું ખુશી થઈ. પિતે જાતે આંગીઓ બનાવી, ગાન, તાન, નૃત્યાદિ કરીને પ્રભાવના કરે છે. તેથી નગરની પ્રજા દરરોજ દર્શન કરવા આવે છે. પ્રભાવના લઈ, પિતાના ઘેર આવી, રાણીની ઘણી પ્રશંસા કરે છે. કેટલાક પ્રશંસા કરે છે. કેટલાક પ્રશંસા, અનુમોદના કરવાપૂર્વક સમક્તિ પામી, પ્રભુ પૂજામાં પરાયણ બન્યા. અને પુણ્ય કમાણુ કરી સાચા ધનાઢ્ય બન્યા. બીજી રાણીએ પણ દેરાસર બંધાવ્યું. પણ પ્રથમના દેરાસરની માફક ઉજળામણ અને ગાન, તાન, પ્રભાવના વિગેરે નહિ હોવાથી, કુંતના રાણી. નિંદા કરવા લાગી કે, તે શક્યમાં ઉજળામણ હોય તે દેરાસરે ધામધૂમ પૂર્વક પ્રભાવના કરેને ? તેનામાં કયાં ઉજળામણ છે એણીએ મારી પ્રશંસા સાંભળી, પિતાની પણ પ્રશંસા થાય તે ખાતર, દેરાસર બંધાવેલ છે. આ મુજબ કર્ણોપકર્ણ સાંભળી, તેણે પણ રાજાની આજ્ઞા લઈ કુંતના રાણીની માફક ગાન, પ્રભાવના, પૂજા વિગેરે કરવા લાગી. અને સમ્યકત્વ પામી. આત્માને ઉજવલ કરવા આનંદમાં રહેવા લાગી. પણ કેઈની નિન્દા-અદેખાઈ વિગેરે કરતી નથી. આ પ્રમાણે વર્તન કરતી હોવાથી પ્રજાજને અધિક પ્રશંસા કરવા લાગ્યા. કુંતના રાણું હૈયામાં બળવા લાગી કે, મારા કરતાં દરેક માણસે તેણુની પ્રશંસા કરે છે. પણ તે મારાથી શું વધારે કરે છે. પૂરી આંગી પ્રભુની
For Private And Personal Use Only