________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પરંતુ યુગ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ને નક્કર કાર્યોમાં પૈસા વાપરનાર શ્રી વાડીલાલ પારેખ જેવા શ્રીમંતે બહુ એાછા ગણાવી શકાય તેમ છે.
પિતાની શ્રીમંતાઈની ભૂલનો એકરાર કરતાં તેઓએ એક અધિવેશનમાં કહ્યું હતું–
હું તમને ધાર્મિક ક્રિયાઓમાં કે જેમાં તમારા આત્માના અધ્યવસાય છે તે ખર્ચાની વાત નથી કરતો. મેં જ્ઞાનમંદિરમાં પૈસા ખર્ચા તેની પણ વાત નથી કરતે. પણ ઊંધું ઘાલીને તેના ઉદ્દઘાટન અને દીકરીના લગ્ન નિમિત્તે જે પૈસા વધારે પડતા ખર્ચા તે મારી મુર્ખાઈ છે અને તે મને પાછળથી સમજાઈ પણ છે. પરંતુ તે રાંડ્યા પછીનું ડહાપણ છે. આમાં હું પિતે જ મારી આ ગંભીર ભૂલ કબૂલ કરી આ ક્ષતિથી આપ સૌને દૂર રહેવા જણાવું છું કારણ કે તેવા પૈસાથી આપણે તેનાથી અનેક સારા કામ કરી શક્યા હેત.”
જે સાચા દિલથી તેમણે પિતાની ભૂલ કબૂલ કરી અને પૈસાને જે સુંદર સામાજિક ઉપયોગ કર્યો છે તે તેમના અંતરની નમ્રતાને એક જાગૃત આત્માની યાદ આપી જાય છે..
તેમની શ્રીમંતાઈનું બીજું લક્ષણ પણ ધ્યાન ખેંચે તેવું છે. શ્રીમંતાઈ હોય અને પરદેશ જવું એ શ્રીમંતો માટે આજ શેખ બની ગયેલ છે. સદ્દગતે વેપાર માટે અનેકવાર ઈંગ્લેંડ-યુરોપને પ્રવાસ ખેડ્યો છે. પરંતુ આ
For Private And Personal Use Only