Book Title: Bahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 716
________________ ૬૯૬ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. મહાનગર મુંબઈની ભૂમિ ઉપર પ્રગતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સદ્ભાગી થનાર ઘોઘારી વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિના આગેવાન મહાજનોમાં તેઓશ્રી આગવી નામના અંકિત કરી શક્યા હતા. પોતાના વતન પચ્છેગામમાં નબળા લોકોને ખાનગી રાહે ખૂબ જ મદદ કરતા હતા. બોલવાનું એકદમ ઓછું, મુકસેવક તરીકે ઘણું કામ કર્યું. વિમલહૃદયી ચંદ્રકાંતભાઈ હોર્ન ગાડીનું વાગતાંની સાથે જ સેંકડો ગાયોની નજર એ દિશામાં મંડાણી. ઢોરવાડાને ઝાંપે ઊભેલી ગાડીમાંથી પૂનમની ચાંદની જેવાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક વ્યક્તિ ઉતરી. જાણે કોઈ હૈયે વસ્યુ સ્વજન ઘણા દિવસ પછી મળ્યું હોય એમ એ વ્યક્તિને જોતાં જ ગાયો ભાંભરવા લાગી. ગાડીમાંથી ઉતરેલ વક્તિ સીધી જ ગાયો પાસે ગઈ. એક એકને વહાલ કરવા લાગી. આસપાસના સૌ લોકો આ સ્વજનમિલન દૃશ્યને આનંદથી જોતા રહ્યા. આ શ્વેતવસ્ત્રધારી વ્યક્તિ એટલે શ્રી ચંદ્રકાંતભાઈ ઘૂડાભાઈ ગાંધી. વિશ્વનકશામાં હીરા વ્યવસાય માટે જાણીતા થયેલ બનાસકાંઠાના પાલનપુર શહેરમાં સંસ્કારી માવતરને ઘેર તા. ૨૦-૭-૧૯૨૯ના રોજ જન્મેલા શ્રી ચંદ્રકાંતભાઈએ વતનમાં જ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. શાળાજીવન દરમ્યાન પણ તે અત્યંત તરવરિયા કિશોર તરીકે ખ્યાતિ પામ્યા. એ જમાનામાં શિક્ષણનો પ્રસાર અને પ્રચાર પ્રમાણમાં ઘણો ઓછો. આવા સમયમાંય શ્રી ગાંધી મુંબઈની ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. કોલેજજીવન પણ અભ્યાસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહ્યું. ઘડીભર જંપીને બેસે એ ચંદ્રકાંતભાઈ નહીં. અભ્યાસ બાદ હીરાના વ્યવસાયમાં જોડાયા. વ્યવસાયમાં ઘણા તડકા-છાંયડા જોયા; પરંતુ સાચા અર્થમાં ધર્મપત્ની એવાં ગુણવંતીબહેનના સાથ અને સહકારથી આ બધી જ અગ્નિપરીક્ષાઓમાંથી પાર ઉતરીને એમના પરિવાર અને પેઢી Jain Education International સ્વપ્ન શિલ્પીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જ રહ્યાં. આજે એમના પુત્રો શ્રી સુનિલભાઈ અને શ્રી રાજેશભાઈના માર્ગદર્શન હેઠળ ‘સનરાજ ડાયમંડ' ‘ચોરોન ડાયમંડ' અને 'Primorsky' હીરાબજારમાં મોખરાનું માનવંતુ નામ અને સ્થાન ધરાવે છે. ચંદ્રકાંતભાઈ એ માત્ર એક નામ નથી; પરંતુ ઇતિહાસ છે. આ ઇતિહાસ માત્ર હીરા વ્યવસાય પૂરતો સીમિત નથી. ચંદ્રકાંતભાઈ બહુમુખી પ્રતિભા હતા. સેવા એ જ એમનું જીવન. એમનાં સાહસ, વહીવટી કૌશલ્ય અને દીર્ઘદૃષ્ટિનો લાભ અનેક સંસ્થાને મળ્યો. ‘પાલનપુર સમાજ કેદ્ર' એ એએનું માનસ સંતાન છે. સંસ્થાના આધારસ્તંભ એવા એ સેક્રેટરીરૂપે વર્ષો સુધી રહ્યા. સમાજકેન્દ્રની પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારવામાં એમનો સિંહફાળો છે. જીવદયા, અહિંસા જેવાં જૈન ધર્મનાં પાયાના મૂલ્યોને એમણે પચાવ્યાં હતી. પરમાત્માની ઓછી કૃપા પામેલ જીવો માટે એમના હૃદયમાં અપાર કરૂણા હતી. એ અનેક મેડીકલ કેમ્પના આયોજક બન્યા. કઈ કેટલાયને જયપુર ફૂટ અપાવી દોડતા કર્યા. અનેકની આંખોમાં અજવાળા ભર્યા. થરા ગામમાં Patient Relif Fund શરૂ કરી અનેક માટે દાક્તરી સારવાર ઉપલબ્ધ કરાવી. એક વખત માત્ર બે વર્ષના એક બાળકની આંખમાં તકલીફ થઈ. ચંદ્રકાંતભાઈને ખબર પડી. બાળકના અંધકારમય ભાવિની કલ્પનામાત્રથી એ થથરી ઊઠ્યા. એ ભૂલકાની સારવારની તાત્કાલિક વ્યવસ્થા કરી અને એને ફરી દૃષ્ટિ મળતાં ચંદ્રકાંતભાઈનો આતમરામ રાજીના રેડ થઈ ગયો. સેવાપ્રવૃત્તિને વરેલા ‘રત્નનિધિ ટ્રસ્ટ’ના ટ્રસ્ટીપદે રહીને અનેક ભૂખ્યાં–તરસ્યાંની આંતરડી ઠારી છે. ધર્મસ્થાનોને સેવાસ્થાન પણ બનાવવા એ સતત પ્રયત્નશીલ રહ્યા. મુંબઈના ગોવાળિયા ટેન્ક ખાતે મેડીકલ સેન્ટરની સ્થાપના કરવામાં નિમિત્તરૂપ બન્યા. નાગેશ્વર તીર્થમાં ૭૫ ખંડ સાથે આધુનિક સુવિધા ધરાવતી ધર્મશાળા એ એમનું સાકાર થયેલું સ્વપ્ન છે. સિદ્ધાચલ ધર્મશાળા એ અનંત ઉપકારી, વાત્સલ્યમૂર્તિ માવતરને અપાયેલી શ્રેષ્ઠ અંજલિ છે. પાલનપુર દેરાસરને માતબાર દાન આપીને ધર્મક્ષેત્રના નૂતનીકરણ માટે સહાયક બન્યા. બનાસકાંઠામાં જયંતીલાલ વી. શાહ રેફરલ હૉસ્પિટલ' શરૂ થઈ એટલું જ નહીં, આજેય એ શ્રેષ્ઠ આરોગ્યસેવા આપી રહી છે. એનું શ્રેય શ્રી ચંદ્રકાંતભાઈને ફાળે જાય છે. આ હોસ્પિટલ પણ એમના મિત્રપ્રેમનું જ્વલંત ઉદાહરણ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820