Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 24
________________ (૧૯) બાદર પર્યાપ્તા તેઉકાય. (૨૦) બાદર પર્યાપ્તા વાયુકાય. (૨૧) બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય. (૨૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. આ રીતે એકેન્દ્રિય જીવોના બાવીશ ભેદો થાય છે. ૧૧ થી ૨૨ સુધીનાં જીવોની હિંસા કાયાને હલાવતા થયા જ કરે છે. બેઇન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા બેઇન્દ્રિય, (૨) પર્યાપ્તા બેઇન્દ્રિય. તેઇન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા તેઇન્દ્રિય અને (૨) પર્યાપ્તા તેઇન્દ્રિય. ચઉરીન્દ્રિય જીવોના બે ભેદ. (૧) અપર્યાપ્તા ચઉરીન્દ્રિય અને (૨) પર્યાપ્તા ચઉરીન્દ્રિય. આ છ જીવ ભેદોને વિકસેન્દ્રિયના જીવો કહેવાય છે. પંચેન્દ્રિય જીવોના પાંચસો પાંત્રીશ જીવભેદો હોય છે. એમાં મુખ્ય બે ભેદો (૧) અસન્ની પંચેન્દ્રિય, (૨) સન્ની પંચેન્દ્રિય અસન્ની પંચેન્દ્રિયના મુખ્ય બે ભેદો છે. (૧) અસન્ની પંચેન્દ્રિય તિર્યંચ અને (૨) અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય. (૧) અન્ની પંચેન્દ્રિય તિર્યંચના દશ ભેદો હોય છે. જેમને સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો કહેવાય છે. ૧. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા જલચર જીવો. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ચતુષ્પદ જીવો ૩. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ઉરપરિસર્પ જીવો. ૪. અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા ભુજ પરિસર્પ જીવો. ૫. અસન્ની પચેન્દ્રિય અપર્યાપ્તા ખેચર જીવો. ૬. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જલચર જીવો. ૭. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ચતુષ્પદ જીવો. ૮. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ઉરપરિસર્પ જીવો. ૯. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ભુજ પરિસર્પ જીવો. ૧૦. અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા ખેચર જીવો. અસન્ની પંચેન્દ્રિય મનુષ્ય નિયમો અપર્યાપ્તા જ હોય છે. કોઇ કાળે પર્યાપ્તા થતા જ નથી તેના ૧૦૧ ભેદો હોય છે. મનુષ્યોને ઉત્પન્ન થવાના ક્ષેત્રો-પીસ્તાલીશ લાખ યોજનને વિષે એકસો એક હોય છે તેથી તે તે ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા જીવોને તે તે ક્ષેત્રોવાળા કહેવાય છે માટે અસન્ની મનુષ્યોના એકસો એક ભદ થાય છે. Page 24 of 75

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75