Book Title: Avashyak Kriyana Sutronu Rahasya Darshan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 55
________________ સન્મુખ ભાવથી, અભિ = સન્મુખ. એટલે કે ચોવીશે તીર્થંકર પરમાત્માઓ મારી સન્મુખ રહેલા છે. અથવા મેં મનમાં ચોવીશે તીર્થર પરમાત્માઓની ધારણા કરેલી છે. જે હું સ્તવના કરું છું તે પ્રમાદને વશ થઇને કરતો નથી પણ અપ્રમત્ત ભાવથી એમની સ્તવના કરું છું. એ રીતે મેં સ્તવના કરી એ સ્તવનાથી ચોવીશે તીર્થર પરમાત્માઓ મારા ઉપર પ્રસન્ન થાઓ એ પ્રસન્ન કરવા માટે એ ચોવીશે તીર્થકરો કેવા છે ? એ જણાવે છે. વિહુદ્ય રયમલા વિહુદ્ય = નાશ કર્યો છે. રય = રજ. મલા = મલ. રજ અને મલના આવશ્યક સૂત્રને વિષે જ્ઞાની ભગવંતોએ ત્રણ અર્થ કર્યા છે. (૧) રજ = વર્તમાનમાં બંધાતું કર્મ તીર્થંકર પરમાત્માના આત્માઓને છેલ્લે ભવે પોતાના આત્મામાં ઉંચી કોટિનો વૈરાગ્યભાવ રહેલો હોવાથી એટલે કે જેટલા કાળ સુધી સંસારમાં રહે છે અવિરતિના ઉદયમાં બેઠેલા હોય છે ત્યાં સુધી ભોગવાલી કર્મ ભોગવીને નાશ કરવા માટે જ બેઠેલા હોય છે કારણ કે જેના શાસનમાં કેટલાક કર્મો એવી રીતે બંધાયેલા હોય કે જે ભોગવવાથી જ નાશ પામે. કેટલાક કર્મો એવી રીતે બંધાયેલા હોય છે કે જે કર્મો પોતાના સ્વરૂપે ભોગવ્યા વગર જ બીજાના સ્વરૂપે થઇને ભોગવાઇને નાશ પામે એવા હોય છે અને પ્રદેશોદય કહેવાય છે. | વિપાકોદયથી ભોગવાય તે ભોગાવલી કહેવાય. આથી તીર્થંકર પરમાત્માઓના આત્માઓએ ભોગાવલી કર્મ વિપાક રૂપે એવી રીતે બાંધેલા હોય છે કે તેને ઉદયમાં લાવીને ભોગવે તોજ નાશ પામી શકે. એ વિપાકોદયને ભોગવવા છતાં પણ ઉત્કૃષ્ટ કોટિનો વૈરાગ્યભાવ પેદા કરેલો હોય છે કે જેના કારણે નવા ભોગવવા લાયક કર્મો બંધાતા નથી અને જે પુણ્યાનુબંધી પુણ્ય રૂપે કર્મો બંધાય છે તે તીર્થકર નામકર્મના ઉદય વખતે ઉદયમાં ભોગવીને નષ્ટ થઇ જાય. છે. ઉત્કૃષ્ટ વૈરાગ્યના પ્રતાપે ભોગાવલી કર્મનો ભોગવટો કરવા છતાં પણ સંસારની વૃદ્ધિ થાય એટલે કે જન્મ મરણની પરંપરા વધે એવો કર્મબંધ થતો નથી. આના ઉપરથી એ નિશ્ચિત થાય છે કે ઘાતી કર્મોના ઉદયકાળમાં વૈરાગ્યભાવ જીવ જો પેદા કરતો જાય અને સ્થિર કરતો જાય અને વૈરાગ્યને વધારતો જાય અને એવા કાળમાં જીવનકાળ પસાર કરે તો જન્મ મરણની પરંપરા વધે નહીં એવું કર્મ બંધાતું જાય છે અને પૂર્વે બંધાયેલી જન્મ મરણની પરંપરા જો નિકાચીત રૂપે બંધાયેલ ન હોય તો વેરાગ્ય ભાવથી જન્મ મરણ નાશ કરી શકે છે. આ રીતે ભોગાવલી કર્મના ઉદયથી ભોગની સામગ્રી ઉત્કૃષ્ટ વેરાગ્ય રાખીને ભોગવવા છતાંય જન્મ મરણની પરંપરા વધે નહિ એવો જે કર્મબંધ થાય છે એ કર્મબંધને રજ કહેવાય છે. ૦ વર્તમાનમાં બંધાતા કર્મને રજ કહેવાય છે. • રાગ થાય તો જન્મ મરણની પરંપરા વધે. ૦ પૂર્વે બંધાયેલા કર્મોને મળ કહેવાય છે. મલ = પૂર્વે બંધાયેલા કર્મ સત્તામાં રહેલા છે એને મલ કહેવાય છે. એટલે કે પૂર્વે બંધાયેલા કમ ઉત્કટ વૈરાગ્યના પરિમામની સાથે ઉદયમાં આવે છે તો પણ રાગ પેદા કરાવે એવા કર્મો હોવા છતાં એને ભોગવવા છતાંય રાગ વગર ભોગવે છે. વૈરાગ્ય જે પેદા થયેલો છે એનું કામ જ એ છે કે રાગવાળા પદાર્થોમાં રાગ થવા ન દે અને દ્વેષવાળા. પદાર્થોમાં દ્વેષ થવા ન દે. Page 55 of 75

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75