________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
રાગ આશાવરી. અનુભવ સિદ્ધ આતમ જે હવે, યમ ચતુષ્ટય જેવે રે ઈચ્છા પ્રવૃત્તિ સ્થિર સિદ્ધ યમમાં, બીજે શક્તિ ચિત્ત જેડેરે. અ. ૧ પ્રથમ યમે અહિંસાદિક વાર્તા, કરતાં સુણતાં મીઠીરે; જાણે જિનની આણ આરાધક, બીજી વાત અનીઠીર. અ. ૨ પ્રાપ્તિ થતાં પ્રવૃત્તિ યમની પ્રાપ્તિ થાય છે. ઇચ્છાની સાથેજ પ્રવૃત્તિ યમની પ્રાપ્તિ થવી એવો એકાન્ત નિયમ બાંધી શકાય છે. ઈચ્છા યમની સિદ્ધિની સાથે કેટલાક જીની પ્રવૃત્તિ યમની સન્મુખતા પ્રાપ્ત થાય છે અને કેટલાકને અવિરતિના ઉદયથી થતી નથી. પ્રવૃત્તિ યમની સિદ્ધિ થતાં સ્થિરતા આવે છે. ધર્મ પ્રવૃત્તિ એ કારણ છે અને સ્થિરતા એ કાર્ય છે. ધર્મ પ્રવૃત્તિના ગુણ સ્થાનકમાં વ્યવહારનયની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. પ્રવૃત્તિ યમમાં પ્રમાદ દશા ઝાઝી હોય છે. છઠ્ઠા ગુણ સ્થાનક પર્યત પ્રવૃત્તિ છે. ધર્મ પ્રવૃત્તિ વડે જ્યારે સ્થિર યમ થાય છે ત્યારે સાધુપંથ મહાવ્રતમાં સ્થિર રહે છે અને બાવીસ પરિષહને જીતી ચોથા સિદ્ધ ચમને પ્રાપ્ત કરી સુખમય થાય છે.
ભાવાર્થ –વસ્તુને વસ્તુના ધર્મ પ્રમાણે યથાસ્થિત દેખવાથી સમ્યકત્વ દર્શનની પ્રાપ્તિ થાય છે. જે વસ્તુ જે જે પર્યાવડે જેમ યુક્ત હોય તેને તેમ દેખવાથી સમ્યકત્વ દર્શન ગણી શકાય છે. જેવી રાતે જિને દ્રવ્ય પર્યાનું સ્વરૂપ દર્શાવ્યું છે તેવી રીતે દ્રવ્ય અને પર્યાયોનું સ્વરૂપ અવગત કરવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. કર્મરૂપ પર્યાને શ્રી કેવલજ્ઞાનીએ જેવી રીતે જ્ઞાનમાં દીઠા છે તેવા તે ઉદયમાં આવે છે. કર્મવિપાકનાં બાહ્ય નિમિત્તે ખરેખર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવની અપેક્ષાએ વ્યવહારથી અનેક રીતે દેખાય છે પરંતુ તાવિધ કર્મ રૂપ કારણ તે પિતાની પાસે છે. તેને વિપાક જોગવતાં
For Private And Personal Use Only