Book Title: Atmashiksha
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ નોકર છે. આત્માનું સાધન છે. રાજાને પુત્ર બાલ્યાવસ્થામાં હોય, અને રાજકારભાર તેને ચલાવતાં ન આવડતું હોય ત્યારે જેમ પ્રધાન બધી સત્તા પિતાના હાથમાં લે છે તેમ આત્માની બાલ્યાવસ્થામાં–અજ્ઞાન દશામાં મનરૂપી પ્રધાને આખા શરીર રૂપી રાજ્યતંત્રની લગામ પિતાના હાથમાં લઈ લીઘેલી છે. રાજા તે કાંઈ હિસાબમાં પણ ન હોય તેવી સાર્વભૈમસત્તા મન ચલાવી રહ્યું છે. પણ જેમ રાજકુંવર મોટે થતાં પ્રધાન પાસેથી રાજા સત્તા માગી લે છે, અને તે વખતે ઘણા દિવસથી ખાઈ બદેલો પ્રધાન એકાએક તેને તે આપવા આનાકાની કરે છે, તે જ પ્રમાણે આ મન રૂપી પ્રધાને સર્વ સામંત વગેરેને વશ કરી લીધેલા છે, અને જ્યારે આત્મારૂપી રાજા પિતાના હાથમાં સત્તા લેવા માગે છે, ત્યારે તે પણ એટલી જ આનાકાની કરે છે પણ તેથી રાજાએ જરા પણ ગભરાવું નહિ. કારણ કે રાજાને–આત્માને પિતાના સામર્થ્યનું ભાન આવ્યું છે. મને ગમે તેટલા લાંબા વખત સુધી સત્તા ભોગવી હોય છતાં છેવટે તે આત્માનું નોકર છે. હે આત્મન ! તું હવે જાગૃત થા ! તેં ઘણું વાર સૂઈ રહીને પ્રમાદમાં કાળ ગુમાવ્યું છે પણ હવે પ્રમાદ ન કર ! ઉ. જાગૃત થા ! આ મન રૂપી પ્રધાન પાસેથી તારી સત્તા લેઈ લે ! તારે દિવ્ય હક છે તે તેને જણાવ ! અને જરૂર તે તને વશ થશે. તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. થોડો વખત તે બરબડે તો ફિકર નહિ. તારૂ બળ અજમાવ. હે આત્મન ! મનને પિતાનું કશું બળ નથી. જે બળ તેનામાં હોય તે તારું પિતાનું છે. જેમ ચંદ્ર સૂર્યના પ્રકાશથી ચળકતે દેખાય છે, તેમ આ મનનું જે કાંઈ બળ હોય તે તારું જ છે. માટે ઉછીના લીધેલા બળ કરતાં સ્વાભાવિક બળમાં વિશેષતા હોય એ વાત સત્ય છે. માટે તારું સ્વભાવિક બળ અજમાવ. મન જરૂર તારે વશ થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81