Book Title: Atma Bhavna
Author(s): Harilal Jain, Kanjiswami
Publisher: Harilal Jain

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪ : આત્મભાવના મારો આત્મા છે, ને તે સિવાય જે રાગાદિ છે તે મારા આત્માનો સ્વભાવ નથી ’ આવી ઓળખાણ કરવી તે બધાં શાસ્ત્રોનો સાર છે. h હૈ સિદ્ધ પ૨માત્મા ! આપ કેવળજ્ઞાનની મૂર્તિ છો, પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છો, ને રાગરહિત છો; એવો જ મારા આત્માનો સ્વભાવ છે.-આ પ્રમાણે સિદ્ધભગવાનને ઓળખતાં તેવો પોતાનો આત્મસ્વભાવ જાણ્યો એટલે તેણે પોતાના આત્મામાં જ સિદ્ધભગવાનને ઉતારીને, અંતર્મુખ થઈને સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા. नमो सिद्धाणं સિદ્ધભગવંતોને નમસ્કાર હો. કેવા સિદ્ધ ભગવાન ? કે જેને રાગાદિ નથી ને પરિપૂર્ણ કેવળજ્ઞાન છે; આમ સિદ્ધના આત્માને જાણતાં રાગરહિત ને જ્ઞાનસહિત એવો આત્મા જણાય છે. સિદ્ધનો આત્મા શુદ્ધ છે, તેથી તેને જાણતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાય છે, ને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે, જેણે આવું ભેદજ્ઞાન કર્યું તેણે સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર કર્યા. સિદ્ધમાં જે છે તે સ્વ; સિદ્ધમાં જે નથી તે ૫૨. આ રીતે સિદ્ધભગવાનને જાણતાં સ્વ-૫૨નું ભેદજ્ઞાન થાય છે; માટે મંગલાચરણમાં સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે. આ રીતે સિદ્ધભગવાન જેવા શુદ્ધ આત્માનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે, ને તે પહેલો અપૂર્વ ધર્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com -

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 372