________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ : આત્મભાવના
આત્માની અવસ્થામાં જે મોહેં–રાગ-દ્વેષના ભાવો છે તે વિભાવ છે, તેમાં અસમાધિ છે; આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ સમાધિ વડે તે સકલ વિભાવનો અભાવ કરીને જેઓ સિદ્ધ થયા તે સિદ્ધભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધભગવાન કેવા છે? પરમ આનંદ અને જ્ઞાનમય છે, પોતાનું આત્મકલ્યાણ કર્યું છે, અને સમસ્ત વિભાવનો અભાવ કર્યો છે.
આવા સિદ્ધભગવાનને ઓળખીને અહીં તેમને નમસ્કાર કર્યા છે.-કઈ રીતે? કે જેવા સિદ્ધભગવાન છે તેવી જ તાકાત મારા આત્મામાં છે–એમ સિદ્ધ સમાન પોતાના આત્માને પ્રતીતમાં લઈને સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે. નાટક-સમયસારમાં કહે
ચેતનરૂપ અનુપ અમૂરત સિદ્ધસમાન સદા પર મેરો”
સિદ્ધભગવાન જેવા પરિપૂર્ણ જ્ઞાન અને આનંદ મારા આત્મામાં ભર્યા છે,-એવા સિદ્ધસમાન આત્માને પ્રતીતમાં લેવો તે સિદ્ધ થવાનો માર્ગ છે, ને તે જ સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર છે, તે અપૂર્વ માંગળિક છે.
એ રીતે માંગળિકરૂપે સિદ્ધભગવાનને નમસ્કાર કરીને, જેમાં આત્મસિદ્ધિના માર્ગનો સહેલો ઉપાય બતાવ્યો છે એવા આ સમાધિતંત્રના વ્યાખ્યાનનો પ્રારંભ કરવામાં આવે છે.
શાસ્ત્રકર્તા શ્રી પૂજ્યપાદસ્વામી, મોક્ષના ઈચ્છુક ભવ્ય જીવોને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી, શાસ્ત્રની નિર્વિન સમાપ્તિ વગેરે ફળની ઈચ્છા કરતા થકા વિશિષ્ટદેવ શ્રી સિદ્ધભગવાનને નમસ્કાર કરે છે? જુઓ, સૌથી પહેલાં તો મોક્ષાર્થી જીવની વાત લીધી છે; જે જીવ મોક્ષાર્થી છે. આત્માર્થી છે....હું કોણ છું ને મારું હિત કેમ થાય?' એમ જેને આત્માના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com