________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૫ અહો! જુઓ આ આદર્શ!! આત્માના આદર્શરૂપે સિદ્ધને સ્થાપ્યા, ને બીજાં બધું લક્ષમાંથી કાઢી નાંખ્યું. જેને આવું લક્ષ છે તેણે જ સિદ્ધને નમસ્કાર કર્યા છે. જેણે સિદ્ધનો વિનય કર્યો તે રાગનો આદર કરતો નથી, અને જે રાગનો આદર કરે છે તેણે રાગરહિત એવા સિદ્ધભગવાનનો આદર ખરેખર કર્યો નથી. આત્માનું શુદ્ધસ્વરૂપ અને રાગાદિ એ બન્નેના ભેદજ્ઞાન વગર સિદ્ધભગવાનને ખરેખર ઓળખી શકાય નહિ. જેણે સિદ્ધભગવાનને ઓળખ્યા તેણે પોતાના શુદ્ધ સ્વભાવને સિદ્ધસમાન જાણ્યો ને રાગને સ્વભાવથી ભિન્ન જાણ્યો. એ રીતે રાગથી પાછો ફરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નમ્યો તેણે સિદ્ધને ખરા નમસ્કાર કર્યા.
સિદ્ધભગવાનને કદી કોઈ સંયોગમાં રાગાદિ થતા નથી. જે જીવ રાગને ભલો (ઇસ્ટ) માને છે તેણે રાગરહિત એવા સિદ્ધને ખરેખર ઇષ્ટ નથી માન્યા. સિદ્ધભગવાનને ઈષ્ટ માનનાર પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને જ ઇષ્ટ માનીને તે તરફ જ નમે છે – તેનો જ આદર કરે છે, રાગનો આદર તે કરતો નથી. સિદ્ધ-ભગવાનને જાણતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે, તેથી માંગળિકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા છે.
સમયસારના માંગળિકમાં પણ વંવિત્ત સંધ્વસિદ્ધ કહીને કુંદકુંદાચાર્યદવે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યો છે, કેમકે સિદ્ધભગવંતો શુદ્ધ આત્માના પ્રતિછંદના સ્થાને છે તેથી તેમના સ્વરૂપને જાણતાં શુદ્ધ આત્માનું સ્વરૂપ જણાય છે; એ જ રીતે અહીં પૂજ્યપાદસ્વામીએ પણ સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. “જે સિદ્ધનું સ્વરૂપ તે મારું સ્વરૂપ; અને જે સિદ્ધના સ્વરૂપમાં નહિ તે મારું સ્વરૂપ નહિ”...આ પ્રમાણે સિદ્ધને ઓળખતાં સ્વપરનું ભેદજ્ઞાન થાય છે, તે અપૂર્વ મંગળ છે.
* * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com