________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૯ છે, ઇન્દ્રિયો કે શરીરાદિ મારાથી પર છે, વિકાર પણ ખરેખર મારા સ્વરૂપથી પર છે. જડથી ભિન્ન ને વિકારથી ભિન્ન મારું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ જ મારું પરમ ઇષ્ટ છે; ને એવા સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધભગવાન પણ નિમિત્તરૂપે પરમ ઇષ્ટ છે. આમ ઈષ્ટપણે સ્વીકારીને સિદ્ધપરમાત્માને નમસ્કાર કર્યા છે.
અહીં એમ જાણવું કે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા તેમાં પાંચ પરમેષ્ઠીભગવંતો આવી જાય છે, કેમ કે આચાર્ય વગેરેને પણ એકદેશ-સિદ્ધપણું પ્રગટયું છે, આત્માના જ્ઞાન-આનંદની અંશે પ્રાપ્તિ તેમને પણ થઈ છે, તેથી તેઓ પણ ઇષ્ટ છે.
પંચપરમેષ્ઠી ભગવંતોને જ્ઞાન-આનંદરૂપ જે ભાવ પ્રગટયા છે તે આત્માના હિતકારી છે; ને મોહ–રાગ-દ્વેષાદિ ભાવો તે આત્માને અહિતકારી-દુઃખદાયી છે. સિદ્ધભગવાનના આત્મામાં જે ભાવો છે તે ભાવો આત્માને શાંતિકારી હિતરૂપ છે, ને સિદ્ધ ભગવાનમાંથી જે ભાવો નીકળી ગયા તે ભાવો આત્માને અહિતરૂપ છે.-આમ ઓળખીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના આદરથી મોહાદિ ભાવનો નાશ કરવો તે કર્મબંધથી છૂટીને મુક્ત થવાનો ઉપાય છે. પણ અજ્ઞાનીને સ્વ-પરના ભેદજ્ઞાનમાં કંટાળો આવે છે, મોક્ષનો ઉપાય કરવામાં તેને દુઃખ લાગે છે, તે આત્માની શ્રદ્ધા-જ્ઞાન-રમણતાનો તો ઉપાય કરતો નથી ને રાગાદિ ભાવોને જ હિતરૂપ માનીને સેવે છે,–તે વિપરીત ઉપાય છે, તેનાથી ચતુર્ગતિના દુઃખથી છુટકારો થતો નથી. સિદ્ધ ભગવાન જેવો મારો આત્મા છે–એમ જાણીને, આત્માની સન્મુખ થવું તે દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે. આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતારૂપ રત્નત્રયવડે આત્મા બંધનથી છૂટીને મુક્તિ પામે છે. શુદ્ધ રત્નત્રય કહો કે સમાધિ કહો,-તે જ મુક્તિનો ઉપાય છે.
જ્ઞાની ગુરુના ઉપદેશથી એમ જાણ્યું કે “આત્માનો સ્વભાવ શુદ્ધ સિદ્ધસમાન છે, સિદ્ધભગવાન જેવો જ આત્માનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com