________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણમાં સિદ્ધ-આત્માને નમસ્કાર
येनात्माऽबुद्ध्यतात्मैव परत्वेनैव चापरम्।
अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः।।१।।
જેમના દ્વારા આત્મા આત્મારૂપે જણાય છે અને પર પરરૂપે જણાય છે, તથા જેઓ અક્ષયઅનંતબોધસ્વરૂપ છે એવા સિદ્ધઆત્માને અમારા નમસ્કાર હો.
હે સિદ્ધ પરમાત્મા! આપે આત્માને આત્મારૂપે જાણ્યો છે ને પરને પરરૂપે જાણ્યા છે, અને એ રીતે જાણીને આપ અક્ષયઅનંતબોધસ્વરૂપ થયા છો, તેથી એવા પદની પ્રાપ્તિ અર્થે હું આપને નમસ્કાર કરું છું.
જુઓ, આ મંગલાચરણ !! મંગલાચરણમાં સિદ્ધભગવાનને યાદ કર્યા છે. સિદ્ધભગવાનને જાણતાં આ આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપે જણાય છે, ને સિદ્ધભગવાનથી જુદું એવું બધુંય પરરૂપે જણાય છે.
સિદ્ધભગવાન જેવા પોતાના આત્માને પરથી ભિન્ન જાણ્યો તેમાં બધાં શાસ્ત્રોનું ભણતર આવી ગયું. “આ આત્માનો સ્વભાવ સિદ્ધભગવાન જેવો છે, જેવો સિદ્ધભગવાનનો આત્મા છે તેવો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com