________________
અધ્યાય ૨ જે.
ભાસી પિતામાં રહેલા આત્માને સાક્ષાત્કાર થયે, કે જેના આનંદમાં તેઓ આ રીતે ચિદ્દઘન સ્વરૂપને દર્શાવતા જાય છે.
आत्माऽज्ञानाज्जगदभाति आत्मज्ञानान भासते । रज्ज्वज्ञानादहि ति तज्ज्ञानाद्भासते नहि ॥ ७॥
અર્થ. આત્માના અજ્ઞાનથી જગત ભાસે છે અને આત્મજ્ઞાનથી નથી ભાસતું, દેરડીના અજ્ઞાનથી સર્ષ ભાસે છે અને તેનું (દેરડીનું) જ્ઞાન થતાં સર્પનથી ભાસતે-દેખાતે.૭
ટીકા. જ્યાં લગી આત્મજ્ઞાન નથી ત્યાં લગી જગત સાચું લાગે છે. આત્મજ્ઞાન થતાં તરતજ “તે મિથ્યા છે” એવી ખાતરી થઈ જાય છે. દોરી અને સર્પનું દષ્ટાંત આપી ગુરુ ખાતરી કરાવે છે કે-જયાં સુધી દોરીની પરીક્ષા થતી નથી ત્યાં સુધી દેરીમાં સર્ષ ભાસે છે, પરંતુ જ્યારે જ્ઞાન-પ્રકાશથી જોવામાં આવતી સર્પરૂપ દેરી–દોરી જ છે, એવો નિશ્ચય થાય છે ત્યારે સર્પને ભ્રમ જતો રહી તેનું સત્ય જ્ઞાન થાય છે અને સર્પ એવા જે પેટે આભાસ મન ઉપર પડેલો હોય છે તે જ રહે છે.
प्रकाशो मे निजं रूपं नातिरिक्तोस्म्यहं ततः। यदा प्रकाशते विश्वं तदाहं भास एव हि ॥ ८ ॥
અર્થ. પ્રકાશ મારા પિતાનું રૂપ છે અને હું તેનાથી જુદો નથી, અને જ્યારે વિશ્વને પ્રકાશ થાય છે ત્યારે ખાતરી થાય છે કે, એ મારો પિતાનેજ ભાસ છે. ૮
ટીકા. પ્રકાશ એટલે નિત્યજ્ઞાન, આવું જ્ઞાન–જે પ્રકાશ તે મારું સત્યસ્વરૂપ છે અને હું તે જ્ઞાનરૂપ પ્રકાશથી અતિરિક્ત એટલે જુદા–અલગ નથી; અને જ્યારે વિશ્વ એટલે જગત એનાથી પ્રકાશે છે ત્યારે તેમાં પણ મારોજ ભાસ રહેલો સમજાય છે અને તે આ