________________
અષ્ટાવક્ર ગીતા. રૂપ તંતુમાંથી પટ થયું, પણ તંતુઓ બળી જતાં પટને પ્રાદુર્ભાવ થત નથી, માટે તતુ અને પટ બેઉ અસત્ય છે. જે પદાર્થ સત્ય છે તેને કદી નાશ થતો નથી, અને આ તો તંતુ ને પટ બન્નેને નાશ થાય છે, તેથી અસત્ય છે.
अलमर्थन कामेन सुकृतेनापि कर्मणा। एभ्यः संसारकांतारे न विश्रांतमभून्मनः ॥ १५॥
અર્થ. અર્થ, કામ અને સુકૃત એવાં કર્મથી પણ શું ? એથી તે સંસારરૂપી વનમાં મન વિશ્રાંતિ–શાંતિ પામતું નથી.
ટીકા. અર્થથી, કામથી અને સારા કર્મો કરવાથી પણ સંસારરૂપી વનમાં કહિ વિશ્રાંતિ મળતી નથી. મન એવું અસંતોષી છે કે–તે યમે કર્યું તૃપ્ત થતું નથી, પણ ભટક્યા કરે છે.
कृतं न कति जन्मानि कायेन मनसा गिरा। दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ १६ ॥
અર્થ. શરીરથી, મનથી અને વાણથી કેટલાએ જન્મમાં કેટકેટલાંએ દુઃખ અને પરિશ્રમનાં કર્મ-(કામ) કર્યો તથાપિ હજી લગી તેમાંથી વિરામ પ્રાપ્ત થતી નથી.
ટીકા. હે જનક! શરીર, મન અને વાણીને અર્થાત ઈદ્રિયોને અત્યંત દુઃખ અને પરિશ્રમ પહોંચે એવાં કામો તમે જન્મોજન્મ કરતા આવા છે તેમ છતાં એકે જન્મમાં સુખ તે મળ્યું નહિ, છતાં પણ તમે તે કર્મોમાંથી ઉપરામ પામ્યા નહિ. અને ઉપરાતા વગર જીવન્મુક્તિ કે સુખ–આનંદસ્વરૂપ પ્રાપ્ત થયું નહિ, માટે હવે તે તમે સર્વ તૃષ્ણાઓને ત્યાગ કરી સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરે. ॥ इति श्रीमदष्टावक्रगीतायां तृष्णात्यागनिरूपणनाम
पंचमोऽध्यायः समाप्त ॥