Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ ૩૧ જેમાં સંતો જીવનનાં સર્વ ક્ષેત્રોને શુદ્ધિ અને વાત્સલ્યસભર કરવાનું સક્રિય માર્ગદર્શન આપતા હશે; જેમાં સેવક સંતાજ્ઞા પ્રમાણે પોતાનું જીવન ઘડી વ્યવહારશુદ્ધિ અને સર્વાગી સેવા સંસ્થા દ્વારા શીલ-સદાચારનું એટલે ચારિત્રધર્મનું વ્યાપક ઘડતર કરી જનતાના નિતિક સંગઠનને દોરવણ આપ્યા કરશે; જેમાં લેકે ધર્મલક્ષી લોકનીતિનું પરસ્પર મળીને ઘડતર તથા પાલન કરશે અને લોકશાહી સરકાર લોકલક્ષી બની સામાજિક ન્યાય અને નિષ્પક્ષ ન્યાય દ્વારા લોકલક્ષી લોકશાહીનું ઘડતર કરતા હશે તેવા સત્યપુરુષાર્થમાં રાજ્ય ન્યાય-ધમ, લેકે નીતિધમ, સેવકે ચારિત્ર-ધર્મ અને સંત અધ્યામ-ધમને અનુબંધ રચશે. તે અનુબંધ દ્વારા સહુના સહિયારા સાથથી નિરપેક્ષ સત્યને રાજ્ય અપેક્ષાએ ન્યાય દ્વારા, લોક અપેક્ષાએ નીતિ દ્વારા, સમાજસેવાની અપેક્ષાએ ચારિત્ર દ્વારા અને સંત સંતાની અપેક્ષાએ આત્મધર્મ દ્વારા સાપેક્ષ સત્ય રૂપે કૃતિમાં ઉતારશે. સમાજમાં, સંસ્થામાં અને જગતમાં, વ્યક્તિ અને સમષ્ટિમાં જે સત્ય છે, જે સંવિત એટલે ચેતના છે તેનામાં જ્ઞાનોપયોગ દ્વારા સત્યની સૂઝ અને દર્શનોપયોગ દ્વારા અનુકંપા એટલે અહિંસા ભરેલી જ હોય છે. જ્ઞાન અને દશન જેમ યુમ એટલે એકરૂપ છે તેમ તન્યને જ્ઞાનસ્વભાવ અને સમભાવદન એટલે વાત્સલ્ય પણ યુમ છે એટલે સાથે રહેલાં છે. આ સત્ય અને અહિંસા વચ્ચેનો સંબંધ અને અનુબંધ ક્રાંત સંત જગતને બતાવતા ય છે. સંતાના અંતરમાંથી ઊગતું આવું સત્ય ધર્મને મમ અને માર્ગ દર્શાવે છે. અનુબંધાઇકમાં મંગલાચરણની ત્રણ, આઠ અષ્ટકની ચોસઠ અને ઉપસંહારની આર્ટ મળીને કુલ પંચતર કડી છે. તેમાં બે કડીનું પરિમાર્જન કરી સંતબાલજીએ અનુગ્રુપને બદલે શાલિની અને ઉપાતિમાં રચના કરી છે તે બેય ધર્મને મમ બતાવવા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73