Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિન્કે જણા અધ્યયન કા નિરૂપણ
આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું ગુજરાતી ભાષાંતર
મંગલાચરણ-“નમો સ્થળ સમાપ્ત માવો બાયપુરમવીરરસ, વરૂ સુચહેશે’ બીજા શ્રુતસ્કંધના આરંભમાં શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીરસ્વામીને નમસ્કાર કરું છું. મંગલાચરણ કરીને હવે ગ્રંથને આરંભ કરવામાં આવે છે
હે મિડુ વા મિવવુળી રા’ ઈત્યાદિ
ટીકાર્ય–આગમ સાહિત્યમાં આચારાંગ સૂત્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. કેમકે આચારજ જીવનમાં સાધનાને મૂળ આધાર છે. તેની સહાયતાથી જ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, તેથી બધા જ તીર્થકરોએ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરેલ છે, આગામી તીર્થકર પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરશે. મહાવિદેહ ક્ષેત્રમાં રહેનારા તીર્થકરો પણ સૌથી પહેલાં આચારને જ ઉપદેશ કરે છે, તેથી આ આચારાંગનું અત્યંત મહત્વ અને સૌથી પ્રાચીનતા સિદ્ધ થઈ જાય છે.
આચારાંગ સૂત્ર સાધુ અને સાધ્વીઓના આચારનું માર્ગદર્શક માનવામાં આવે છે. વાસ્તવમાં તે પાંચ આચારના મૂળ સ્તંભ ઉપર આચારાંગ સૂત્રરૂપી ભવ્ય ઈમારત તૈયાર કરેલ છે. આમાં શ્રમણ શ્રમણની સાધનાની સાથે સંબંધ રાખનારા બધા જ વિષનું વર્ણન કરવામાં આવેલ છે, તેથી જ આચારાંગ સૂત્રને ભગવાન શબ્દથી પણ વ્યવહાર કરાય છે.
આ આચારાંગ સૂત્ર બે શ્રુતસ્કંધમાં વહેંચવામાં આવેલ છે, તેમાં પહેલા થુતસ્કંધને વિષય અત્યંત ગૂઢ અને ગંભીર છે, તેમાં નવ પ્રકારના બ્રાન્ચના અધ્યયનાત્મક પહેલા આચાર શ્રુતસ્કંધમાં તમામ કહેવા ગ્ય વિષનું સંક્ષેપથી જ કથન કરવામાં આવેલ છે. તેથી જ તેનું સવિસ્તર કથન કરવા માટે બીજા શ્રુતસ્કંધને આરંભ કરવામાં આવે છે, આને અગ્રક્રુતસ્કંધ પણ કહે છે.
પહેલા શ્રુતસ્કંધમાં બ્રહ્મચર્યાધ્યયનના એકાવન ઉદ્દેશાઓમાં વિભાગપૂર્વક વર્ણન કરેલ છે. અને બીજા શ્રુતસ્કંધમાં સેળ અધ્યયનના ત્રીસ ઉદ્દેશાઓમાં પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેમાં સૌથી પહેલાં પિંડેષણરૂપ અધ્યયનની વ્યાખ્યા કરવામાં આવે છે– મિતું શા મળી જા' પાંચ મહાવત રક્ષણશાલી ભાવલિશુ મહેત્તર ગુણધારી સાધુ અથવા ભિક્ષુકી સાથ્વી વેદના વૈયાવૃત્તિ વગેરે છ કારણેમાંથી કોઈ પણ એક કારણથી આહાર માટે “નEારણે ગૃહપતિ-ગુહસ્થના ઘરમાં “ઉપડયા પડયા પિંડપાતની
શ્રી આચારાંગ સૂત્ર : ૪