Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 198
________________ પ્રાણીની જેમ, એમને મહાકષ્ટ ઘરભેગા કર્યા. વૃદ્ધા વગેરે ઘરભણી ગયા એમની પાછળ અભયકુમારે પોતાના ગુપ્ત પુરુષોને મોકલ્યા. એ સેવકો જઈને એનું ઘર ઓળખી આવ્યાને એની નિશાની આપી. એ નિશાનીએ સાળો બનેવી બંને વૃદ્ધાને ઘેર પહોંચ્યા-તે, વૃદ્ધાના દુર્ભાગ્ય કે વધુઓના સદ્ભાગ્ય-એ બેમાંથી ક્યાંથી આકર્ષાઈને પહોંચ્યા એની અમને કંઈ સમજણ પડતી નથી ! પોતાના સ્વામિનાથને અકસ્માત આવ્યા જોઈને પત્નીઓ સર્વે, જાણે અમૃતનો છંટકાવ થયો હોય નહીં એમ, આનંદમાં નિમગ્ન થઈ કહેવા લાગી-અહો આજનો ધન્ય દિવસ ! કે અમારા પતિદેવ, અજાણ્યે કિનારે ચઢી ગયેલા પ્રવહણની જેમ, સહસા અમને પુનઃ મળ્યા ! એ વખતે અભયકુમારે પેલી વૃદ્ધાને કહ્યું-અહો ! કપટકળાની મૂર્તિ, ધિક્કાર છે તને કે અમારા જ નગરમાં તું આવો અન્યાય કરી રહી છે ! અમને જ ઠગીને અમારી જ સાથે વેર ખેડવા માંડ્યું ! અપુત્રનું દ્રવ્યાદિ સર્વ રાજા હસ્તગત કરશે એવા ભયથી તેં આ કૃતપુણ્યને ઘેર લઈ જઈને વર્ષો પર્યન્ત રાખ્યો અને સંતાન થયા પછી પુનઃ કાઢી મૂક્યો ! ધિક્કાર છે આવા તારા નિર્દયપણાને ! એના આવા ઘનસાર જેવા સુગંધી શીલથી તારો એક પણ રોમરાય ભેદાણો નહીં તો શું તું નક્કર પથ્થર જ છો ! આ તારા પૌત્રો, ચારે વધુઓ અને સમસ્ત દ્રવ્યાદિ આ કૃતપુણ્યને સોંપી દે; અને તું ખાલી હાથે બહાર નીકળ. એ જ તારી અનીતિનો દંડ, અન્ય રાજાઓ તો આવું કરનારને મુખે અને મસ્તકે મેશ સુદ્ધાં ચોપડાવવાની શિક્ષા કરે છે (પણ હું તે કરતો નથી.) અહો ! જે સ્ત્રી પૂર્વે ચારે વધુઓને નિત્ય સ્વેચ્છાપૂર્વક બળાત્કારે પોતાની આજ્ઞા ઉઠાવવાનું કહેતી તે આજે અભયકુમારની સમક્ષ એક શબ્દ પણ બોલી શકી નહીં ! અથવા તો વણિક જાતિને માટીના કાક જેવી કહી છે તે સત્ય જ છે. પછી અભયકુમારે વૃદ્ધાને યથારૂચિ ભોજન અને વસ્ત્રાદિકનો ખરચ નીકળી રહે એટલું દ્રવ્ય અપાવ્યું; અને વધુઓ, એના પુત્રો અને ૧. કપુર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૧૮૯

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250