Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 214
________________ પ્રાણી ભવાંતરથી એકલો જ આવે છે, અંધકારરૂપી દુઃખથી પૂર્ણ એવા ગર્ભમાં એકલો જ રહે છે, એકલો જ જન્મે છે, એકલો જ વિલય પામે છે, અને કર્માનુસારે અન્યભવમાં પણ એકલો જ જાય છે. વળી સ્વાર્થી મનુષ્યની પેઠે સુખ કે દુઃખ એકલો જ અનુભવે છે. એકલો જ અનેક પાપકાર્યો કરીને દ્રવ્યસંગ્રહ કરે છે જે એનાં સ્વજનો એકત્ર થઈને ભોગવે છે. પરંતુ અંધકારપૂર્ણ નરકમાં અનેકવિધ વેદનાઓ તો એ એકલો જ સહન કરે છે. (એકત્વભાવના).” “આ આત્મા બાંધવોથી, સહાયકોથી, વૈભવથી અને શરીરથી પણ અન્ય એટલે ભિન્ન છે; અને એનાં લક્ષણ એ સર્વથી વિલક્ષણ છે. જે બુદ્ધિમાન મનુષ્ય, ધન-પુત્ર-આદિનો વિનાશ થતાં, આત્માને શરીર વગેરેથી ભિન્ન માને છે તેને કદાપિ વિષાદ થતો નથી. (અન્યત્વ ભાવના).” “જે કાયા શુક્ર, મજ્જા, અસ્થિ, મેદ, માંસ અને રસ-ને ઉત્પન્ન કરનારી ધાતુઓનું સ્થળ છે તે કાયાની શુચિતા ક્યાંથી હોઈ શકે ? નવા નવ દ્વારથકી અત્યંત બીભત્સ મળને સૂવનારી કાયાને વિષે શુચિપણાનો સંકલ્પ કરવો એ મહામોહનો વિલાસ છે. અહો ! શાળા વગેરે ધાન્યોનો જે ગંધ અતિ પ્રસરીને દૂર રહેલા જનોને પણ અત્યંત મુગ્ધ કરી નાખે છે-તે જ ગંધ ઔદારિક શરીરના સંસર્ગથી વિનાશ પામીને લોકોની નાસિકાને બંધ કરાવે છે. વારંવાર સ્નાન કરાવતાં છતાં પણ કાયા તો મળને જ સંવનારી છે; અંગારા-કોયલા-ને ગમે એટલી વાર ધોયા કરતા છતાં પણ કાળાશ ત્યજતા નથી. (અશુચિભાવના).” “કર્મને થોકબંધ સવે તે આસવ. એના સત્તર ભેદ છે; પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-એ પાંચ; કર્ણ, ચક્ષ, ઘાણ, જીવ્યા તથા ત્વચા-એ પાંચ (ઈન્દ્રિયો); ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર (કષાયો); અને મનોદંડ, વચોદંડ તથા કાયાદંડ. આવા ધૂર્ત આસવોને ૧. (૧) અનિષ્ટ ચિંતવન કરીને, (૨) અનિષ્ટ વચન બોલીને, (૩) અનિષ્ટ કાર્ય કરીને આત્માને દંડવો-કલુષિત કરવો-એ અનુક્રમે મનદંડ, વચનદંડ, કાયદંડ કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૦૫

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250