Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 215
________________ લીધે, અહો ! મોહવિહવળ પ્રાણીઓ પાપના પુંજ ઉપાર્જન કરે છે. (આશ્રવ ભાવના).” સર્વ આસવોના દ્વારનો વિરોધ કરવો-એનું નામ સંવર. એના પણ એટલા જ ભેદ છે; કારણકે જેટલા વ્યાધિ એટલા ઔષધ હોય. દયા, સત્યવચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ચારે કષાયોનો નિરોધ, પાંચે ઈન્દ્રિયોનો નિરોધ, અને ત્રણેય દંડનો નિરોધ-આમ સત્તર સંવર છે. અમોઘસર જેવા સંવરવડે બુદ્ધિમાન મનુષ્ય દુષ્કર્મ રૂપી શત્રુનો ઘાત કરીને જયપતાકા મેળવી શકે છે. (સંવરભાવના).” બે હાથ કટિ પર રાખી, ચરણ પ્રસારીને મનુષ્ય ઊભો રહેલો. હોય-એમ આ લોક રહેલ છે. એ અધોભાગમાં વેત્રાસનના આકારે, મધ્યે સ્થાળના આકાર અને ઉદ્ધર્વભાગમાં મુરજના આકારે છે; અને ચતુર્દશરજુપ્રમાણ છે. ઘનોદધિ-ઘનવાત-તનુવાત અને આકાશમાં રહેલી સાત રત્નપ્રભા પ્રમુખ અકેક રજુ પ્રમાણ નરક પૃથ્વીઓ છે-એમાં દુઃખપૂર્ણ અંધકારમય, પાપી લોકોના આવાસ હોય નહીં એવા નરકાવાસ છે. એ સાતેનાં અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીશસાગરોપમ આયુષ્ય છે. નીચે અને ઉપર સહસ્ત્રયોજન મૂકી દઈને, શેષ પ્રથમ પૃથ્વીમાં ભવનપતિદેવતાઓના આવાસ છે. એ દેવો ભિન્ન ભિન્ન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, મેઘકુમાર, દ્વીપકુમાર, સમુદ્રકુમાર અને દિકકુમાર-એ નામોથી ઓળખાય છે. ઉપરના યોજનસહસ્ત્રના મધ્યથકી, ઉપર અને નીચે, એકસો યોજન મૂકીને, મધ્યમાં વ્યંતરદેવોના આવાસ છે. એમના પિશાચ, રાક્ષસ, યક્ષ, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, કિન્નર અને ભૂત-એવા આઠ ભેદ છે.” “એક રજુપ્રમાણ તિર્યલોક છે એમાં અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય તેટલા-અર્થાત્ અસંખ્ય-દ્વીપો અને સમુદ્રો છે. એ દ્વીપસમુદ્રોમાં પહેલો જંબુદ્વીપ લક્ષયોજનનો છે. બાકીના દ્વીપસમુદ્રો એનાથી ઉત્તરોત્તર બમણા બમણા છે. અઢી દ્વીપ અને એમની વચ્ચે આવેલા બે સમુદ્રો-એટલો ભાગ મનુષ્યક્ષેત્ર છે અને એજ મનુષ્યના જન્મમરણનું ૨૦૬ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250