________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ कीदृशो धर्मव्यापारो योगः ? इत्याह 'परिशुद्धः' प्रणिधानाद्याशयविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात् / उक्तं च - “ગાશયમેવા તે, સર્વેડપિ દિ તત્ત્વતોડવાવ્યા: | માવડમને વિના, વેદ દ્રા તુચ્છ u" [mોકરા-રૂ-૨૨) "एते' प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः, 'अयं' च पञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना 'चेष्टा' कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया 'तुच्छा' असारा अभिलषितफलासाधकत्वादित्येतदर्थः / / શંકા - કેવા પ્રકારનો ધર્મવ્યાપાર (પૂર્વે બતાવેલ સાધુના આલયાદિ) એ યોગરૂપ છે? સમાધાન - પ્રણિધાન વગેરે (પાંચ) આશયોથી વિશુદ્ધ એવો ધર્મવ્યાપાર એ યોગરૂપ છે. કેમ કે પ્રણિધાન વગેરે (પાંચ) આશયોથી રહિત (અશુદ્ધ) એવો ધર્મવ્યાપાર એ દ્રવ્યક્રિયારૂપ હોઈ “તુચ્છ છે. શ્રી ષોડશક ગ્રંથમાં કહ્યું છે કે - “ખરેખર, આ પ્રણિધાન વગેરે બધા જ (પાંચ) ભેદો એ તત્ત્વથી આશયભેદો જાણવા. આ જ ભાવ-યોગ છે, ભાવયોગ વિનાની પ્રવૃત્તિ દ્રવ્યક્રિયા હોઈ તુચ્છ છે.” શિંકા - પ્રણિધાનાદિ સર્વે આશયો કેવળ ભાવરૂપ નહિ, પરંતુ કાંઈક ક્રિયારૂપ પણ દેખાય છે તેનું શું?]. સમાધાન - પ્રણિધાનાદિ સર્વે આશયો કાંઈક (કથંચિ) ક્રિયારૂપ છે. કારણ કે, આશયભેદો ક્રિયાથી ઓળખાય છે. [એટલે કે ક્રિયાથી એ જુદા હોવા છતાં ક્રિયાના કારણે તેમની ઓળખ થાય છે.] પ્રણિધાન વગેરે પાંચ પ્રકારનો પણ આશય એ ભાવ (યોગ) છે. ભાવ-યોગ વિનાની કાયિક, વાચિક, માનસિક વ્યાપારરૂપ પ્રવૃત્તિ એ દ્રક્રિયા હોઈ તુચ્છ-અસાર છે. કારણ કે, તે અભિલષિત-ઈષ્ટ મોક્ષફળને આપવા સમર્થ બનતી નથી. તાત્પર્ય : જે કોઈ પણ ધર્મપ્રવૃત્તિ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે જોડી આપે છે તે સર્વ ધર્મપ્રવૃત્તિ યોગરૂપ કહેવાય છે. જે પ્રવૃત્તિથી આત્મા પરંપરાએ પણ મોક્ષ સુધી ન પહોંચી શકે, તેવી દેખાતી ધર્મપ્રવૃત્તિ પણ યોગરૂપ નથી. - પરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ જ આત્માને મોક્ષ સુધી પહોંચાડી શકે છે, માટે તે યોગરૂપ છે. - અશુદ્ધ-અપરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ આત્માને મોક્ષ સુધી પહોંચાડી શકતી નથી, માટે તે યોગરૂપ બનતી નથી. - જે પ્રવૃત્તિમાં પ્રણિધાન વગેરે આશય હોય છે, તે ધર્મપ્રવૃત્તિ જ પરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ કહેવાય છે. - જે ધર્મપ્રવૃત્તિમાં વચન અને કાયાની સાથે મન પણ જોડાયેલું હોય તે છતાંય જો તેમાં પ્રણિધાન વગેરે આશયો ન હોય તો તે ધર્મપ્રવૃત્તિ દ્રવ્યક્રિયારૂપ બને છે, પણ ભાવક્રિયારૂપ બનતી નથી. આથી તે મોક્ષનું કારણ બનતી નથી. - પ્રણિધાન વગેરે પાંચે ભેદો કાંઈક અંશે ક્રિયારૂપ હોવા છતાં મુખ્યતયા આશયરૂપ જ છે અને આશયો એ ભાવસ્વરૂપ છે. - પ્રણિધાન વગેરે આશયોથી યુક્ત એવી જ ક્રિયા યોગસ્વરૂપ બને છે પણ આશયો વગરની ક્રિયા યોગ સ્વરૂપ બનતી નથી.