SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ कीदृशो धर्मव्यापारो योगः ? इत्याह 'परिशुद्धः' प्रणिधानाद्याशयविशुद्धिमान्, अनीदृशस्य द्रव्यक्रियारूपत्वेन तुच्छत्वात् / उक्तं च - “ગાશયમેવા તે, સર્વેડપિ દિ તત્ત્વતોડવાવ્યા: | માવડમને વિના, વેદ દ્રા તુચ્છ u" [mોકરા-રૂ-૨૨) "एते' प्रणिधानादयः सर्वेऽपि कथञ्चित्क्रियारूपत्वेऽपि तदुपलक्ष्या आशयभेदाः, 'अयं' च पञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना 'चेष्टा' कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया 'तुच्छा' असारा अभिलषितफलासाधकत्वादित्येतदर्थः / / શંકા - કેવા પ્રકારનો ધર્મવ્યાપાર (પૂર્વે બતાવેલ સાધુના આલયાદિ) એ યોગરૂપ છે? સમાધાન - પ્રણિધાન વગેરે (પાંચ) આશયોથી વિશુદ્ધ એવો ધર્મવ્યાપાર એ યોગરૂપ છે. કેમ કે પ્રણિધાન વગેરે (પાંચ) આશયોથી રહિત (અશુદ્ધ) એવો ધર્મવ્યાપાર એ દ્રવ્યક્રિયારૂપ હોઈ “તુચ્છ છે. શ્રી ષોડશક ગ્રંથમાં કહ્યું છે કે - “ખરેખર, આ પ્રણિધાન વગેરે બધા જ (પાંચ) ભેદો એ તત્ત્વથી આશયભેદો જાણવા. આ જ ભાવ-યોગ છે, ભાવયોગ વિનાની પ્રવૃત્તિ દ્રવ્યક્રિયા હોઈ તુચ્છ છે.” શિંકા - પ્રણિધાનાદિ સર્વે આશયો કેવળ ભાવરૂપ નહિ, પરંતુ કાંઈક ક્રિયારૂપ પણ દેખાય છે તેનું શું?]. સમાધાન - પ્રણિધાનાદિ સર્વે આશયો કાંઈક (કથંચિ) ક્રિયારૂપ છે. કારણ કે, આશયભેદો ક્રિયાથી ઓળખાય છે. [એટલે કે ક્રિયાથી એ જુદા હોવા છતાં ક્રિયાના કારણે તેમની ઓળખ થાય છે.] પ્રણિધાન વગેરે પાંચ પ્રકારનો પણ આશય એ ભાવ (યોગ) છે. ભાવ-યોગ વિનાની કાયિક, વાચિક, માનસિક વ્યાપારરૂપ પ્રવૃત્તિ એ દ્રક્રિયા હોઈ તુચ્છ-અસાર છે. કારણ કે, તે અભિલષિત-ઈષ્ટ મોક્ષફળને આપવા સમર્થ બનતી નથી. તાત્પર્ય : જે કોઈ પણ ધર્મપ્રવૃત્તિ આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે જોડી આપે છે તે સર્વ ધર્મપ્રવૃત્તિ યોગરૂપ કહેવાય છે. જે પ્રવૃત્તિથી આત્મા પરંપરાએ પણ મોક્ષ સુધી ન પહોંચી શકે, તેવી દેખાતી ધર્મપ્રવૃત્તિ પણ યોગરૂપ નથી. - પરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ જ આત્માને મોક્ષ સુધી પહોંચાડી શકે છે, માટે તે યોગરૂપ છે. - અશુદ્ધ-અપરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ આત્માને મોક્ષ સુધી પહોંચાડી શકતી નથી, માટે તે યોગરૂપ બનતી નથી. - જે પ્રવૃત્તિમાં પ્રણિધાન વગેરે આશય હોય છે, તે ધર્મપ્રવૃત્તિ જ પરિશુદ્ધ ધર્મપ્રવૃત્તિ કહેવાય છે. - જે ધર્મપ્રવૃત્તિમાં વચન અને કાયાની સાથે મન પણ જોડાયેલું હોય તે છતાંય જો તેમાં પ્રણિધાન વગેરે આશયો ન હોય તો તે ધર્મપ્રવૃત્તિ દ્રવ્યક્રિયારૂપ બને છે, પણ ભાવક્રિયારૂપ બનતી નથી. આથી તે મોક્ષનું કારણ બનતી નથી. - પ્રણિધાન વગેરે પાંચે ભેદો કાંઈક અંશે ક્રિયારૂપ હોવા છતાં મુખ્યતયા આશયરૂપ જ છે અને આશયો એ ભાવસ્વરૂપ છે. - પ્રણિધાન વગેરે આશયોથી યુક્ત એવી જ ક્રિયા યોગસ્વરૂપ બને છે પણ આશયો વગરની ક્રિયા યોગ સ્વરૂપ બનતી નથી.
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy