________________ __ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ मैवम्, यद्यपि तत्त्वत: परतत्त्वलक्ष्यवेधाभिमुखस्तदविसंवादी सामर्थ्ययोग एव निरालम्बनस्तथापि परतत्त्वलक्ष्यवेधप्रगुणतापरिणतिमात्रादक्तिनं परमात्मगुणध्यानमपि मुख्यनिरालम्बनप्रापकत्वादेकध्येयाकारपरिणतिशक्तियोगाञ्च निरालम्बनमेव / अत एवावस्थात्रयभावने रूपातीतसिद्धगुणप्रणिधानवेलायामप्रमत्तानां शुक्लध्यानांशो निरालम्बनोऽनुभवसिद्ध एव / संसार्यात्मनोऽपि च व्यवहारनयसिद्धमौपाधिक रूपमाच्छाद्य शुद्धनिश्चयनयपरिकल्पितसहजात्मगुणविभावने निरालम्बनध्यानं दुरपह्नवमेव, परमात्मतुल्यतयाऽऽत्मज्ञानस्यैव निरालम्बनध्यानांशत्वात्, तस्यैव च मोहनाशकत्वात् / બાદ 2 - "जो जाणइ अरिहंते, दव्बत्तगुणत्तपज्जयत्तेहिं / सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लयं / / " इति / [प्रवचनसार 1-80] સમાધાન - તમારી આ શંકા બરાબર નથી. પરમાર્થથી વિચારતાં ‘પરમતત્ત્વરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અભિમુખ બનેલ, અવશ્ય ફળદાયી એવો (ક્ષપકશ્રેણીકાળમાં થતો) સામર્થ્યયોગ જ નિરાલંબન યોગ છે. તો પણ (જિનકલ્પી આદિ મુનિને) પરમતત્ત્વરૂપી લક્ષ્યને વીંધનારો વર્ધમાન પરિણામ પ્રવર્તતો હોવાથી જ એ પૂર્વની (સામર્મયોગ પૂર્વની) અવસ્થામાં કરાતું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ મુખ્ય-નિરાલંબન ધ્યાનને પમાડનારું હોવાથી અને એમાં એક (=નિરાલંબન ધ્યાનમાં જે ધ્યેયનો આકાર છે તે) બેયાકારમાં પરિણતિ પામવાની શક્તિનો યોગ હોવાથી નિરાલંબન ધ્યાન' જ છે. આ બે કારણે (ક્ષપકશ્રેણીના સામર્થ્ય યોગમાં કરતું ધ્યાન જેમ નિરાલંબન છે; તેમ તેની) પૂર્વાવસ્થામાં કરાતું પરમાત્મ ગુણોનું ધ્યાન પણ નિરાલંબન જ છે એમ કહી શકાય. (પૂર્વની ૭મા ગુણસ્થાનકવાળા મુનિઓનું ધ્યાન એ નિરાલંબન ધ્યાન છે, એવી ચાલતી-વાતના અનુસંધાનમાં કહે છે કે, માટે જ (ભગવાનની) ત્રણ અવસ્થાની ભાવના કરતી વખતે ત્રીજી : રૂપાતીત ભાવનામાં અરૂપી એવા સિદ્ધોના ગુણોનું પ્રણિધાન કરતી વખતે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા મુનિઓને શુક્લધ્યાનના અંશવાળો નિરાલંબન યોગ હોવો અનુભવસિદ્ધ જ છે. સંસારી જીવોના પણ વ્યવહારનયથી સિદ્ધ થતા (કર્મની ઉપાધિથી થયેલ) ઔપાધિક રૂપને ઢાંકીને (ગૌણ કરીને) શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાથી કલ્પેલું (તેમનામાં રહેલું) સિદ્ધસમ સહજાત્માનું ચિંતન પણ નિરાલંબન ધ્યાન જ છે. (નિગોદાદિ દરેક સંસારી જીવોમાં સત્તારૂપે રહેલા સિદ્ધત્વનું ચિંતન એ નિરાલંબન ધ્યાનરૂપે પ્રગટ જ છે) કારણ કે આ રીતે કરાતી આત્માની વિચારણામાં પણ આત્મા અને પરમાત્માની સત્તાગત તુલ્યતા વિચારાય છે. અને (પરમાત્માની સાથે આત્માની સત્તાગત તુલ્યતાનો) તે વિચાર જ નિરાલંબન ધ્યાનનો અંશ છે અને મોહનો નાશ કરાવનાર છે. પ્રવચન સાર’ નામના ગ્રંથમાં કહ્યું છે કે - દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વથી જે વ્યક્તિ અરિહંતોને જાણે છે, તે આત્માને જાણે છે : એનો મોહ નક્કી નાશ પ્રિવચનસાર-૧-૮૦) પામે છે.”