________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-२ अव. स्थानादिगतो धर्मव्यापारो विशेषेण योग इत्युक्तम्, तत्र के ते स्थानादयः ? कतिभेदं च तत्र योगत्वम् ? इत्याह - ठाणुनत्थालंबणरहिओ तंतंमि पंचहा एसो / दुगमित्थ कम्मजोगो, तहा तियं नाणजोगो उ / / 2 / / 'ठाणुन्नत्थे'त्यादि / स्थीयतेऽनेनेति स्थानं आसनविशेषरूपं कायोत्सर्गपर्यङ्कबन्धपद्मासनादि सकलशास्त्रप्रसिद्धम्, ऊर्णः - शब्दः स च क्रियादावुझार्यमाणसूत्रवर्णलक्षणः, अर्थः - शब्दाभिधेयव्यवसायः, आलम्बनं-बाह्यप्रतिमादिविषयध्यानम्, एते चत्वारो भेदाः, 'रहितः' रूपिद्रव्यालम्बनरहितो निर्विकल्प - આત્માની નિર્મળતા તે “શુદ્ધિ છે. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતિક રૂપ પાપનો ક્ષય થવાથી આત્માની જે પણ નિર્મળતા થાય છે તે નિર્મળતાને ‘શુદ્ધિ' કહેવામાં આવે છે. - આગળ ને આગળ પરંપરા ચાલ્યા કરે તેવી સ્થિતિને ‘અનુબંધ' કહેવામાં આવે છે; જ્યારે એવું ન થતાં એક જ સ્થાને અટકી જાય તેવી સ્થિતિને નિરનુબંધ' કહેવામાં આવે છે. - અહીં જણાવેલ “પુષ્ટિ’ અને ‘શુદ્ધિ': બંનેય અનુબંધવાળી એટલે કે “સાનુબંધ' બનવી જોઈએ. - પ્રણિધાન વગેરે પાંચ આશયો “પુષ્ટિ’ અને ‘શુદ્ધિ'ને સાનુબંધ બનાવે છે. - આ રીતે સાનુબંધ બનેલ‘પુષ્ટિ’ અને ‘શુદ્ધિના પરિણામે અંતતઃ “શુદ્ધિનો પ્રકર્ષ પ્રાપ્ત થાય છે. - પ્રકર્ષ એટલે ઉત્તરોત્તર વધતાં વધતાં યાવતુ પરાકાષ્ઠા સુધીની સ્થિતિ. - જે અનુષ્ઠાનમાં પ્રણિધાન વગેરે આશયો ન હોય તે અનુષ્ઠાનમાં થતી ‘પુષ્ટિ અને શુદ્ધિ સાનુબંધ નબનતાં નિરનુબંધ થાય છે, તે નિરનુબંધ પુષ્ટિ અને શુદ્ધિ અશુદ્ધ - અનુષ્ઠાનનું ફળ છે, માટે પ્રણિધાનાદિ આશય વગરનાં તે ધર્માનુષ્ઠાનો ધર્મરૂપ નથી બનતાં. - એટલા જ માટે પ્રણિધાન વગેરે પાંચ આશયોથી પરિશુદ્ધ બનેલ ધર્મપ્રવૃત્તિ “સાનુબંધ' બનતી હોવાથી - તે “યોગ” છે; એમ જે કહ્યું છે, તે યોગ્ય જ છે. 1. અવ સ્થાન વગેરે બાબતવાળો ધર્મવ્યાપાર (પૂર્વે જણાવેલ) વિશેષથી યોગ છે એમ કહ્યું છે, તે યોગમાં સ્થાનાદિ શું છે ? તેમનામાં કેટલા ભેદવાળું યોગપણું છે? તે જણાવતાં કહે છે કે - ગાથા-૨ : 1 - સ્થાન, 2 - ઊર્ણ (વર્ણ), 3 - અર્થ, 4 - આલંબન અને 5 - નિરાલંબન આ રીતનો પાંચ પ્રકારનો યોગ શાસ્ત્રોમાં કહેલો છે, તેમાં (પહેલા) બે પ્રકારનો યોગ ક્રિયા (કર્મ) યોગ છે જ્યારે (છેલ્લા) ત્રણ પ્રકારનો યોગ જ્ઞાનયોગ છે -2. વ્યાખ્યાર્થ: સ્થાન: આના વડે “રહેવાય’ એ સ્થાન એટલે ‘આસનવિશેષ છે. જે કાયોત્સર્ગ, પર્યકાસન, પદ્માસન વગેરે રૂપે સઘળા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. ઊર્ણ ઊર્ણ એટલે વર્ણ અથવા શબ્દ. તે ક્રિયા આદિમાં બોલાતાં સૂત્રોના વર્ણરૂપ છે. (વર્ણ એટલે સ્વર અને વ્યંજનરૂપ અક્ષરો) અર્થ : અર્થ એટલે શબ્દોથી જણાવાતો પદાર્થબોધ. " આલંબન : આલંબન એટલે બાહ્ય પ્રતિમાદિ વિષયક ધ્યાન. યોગના આ ચાર ભેદ કહ્યા.