________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१९ "सुहुमोआलंबणोनाम"त्तिक्वचित्पाठस्तत्रापिसूक्ष्मालम्बनोनामैषयोगस्ततोऽनालम्बनएवेति भाव उन्नेयः / उक्तं चात्राधिकारे चतुर्दशषोडशके ग्रन्थकृतैव - "सालम्बनो निरालम्बनश्च योग: परो द्विधा ज्ञेयः / जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः / / 1 / / " सहालम्बनेन चक्षुरादिज्ञानविषयेण प्रतिमादिना वर्तत इति सालम्बनः / आलम्बनाविषयभावापत्तिरूपानिष्क्रान्तो निरालम्बनः / यो हि छद्मस्थेन ध्यायते न च स्वरूपेण दृश्यते तद्विषयो निरालम्बन इति यावत् / जिनरूपस्य समवसरणस्थस्य ध्यानं खलु 'आद्यः' सालम्बनो योगः / तस्यैव जिनस्य तत्त्वं केवलजीवप्रदेशसंचातरूपं केवलज्ञानादिस्वभावं तस्मिन् गच्छतीति तत्तत्त्वगः, 'तुः' વાળું, ‘પર:' મનાવુન: I अत्रारूपितत्त्वस्य स्फुटविषयत्वाभावादनालम्बनत्वमुक्तम् अधिकृतग्रन्थगाथायां च विषयतामात्रेण तस्यालम्बनत्वमनूद्यापि तद्विषययोगस्येषदालम्बनत्वादनालम्बनत्वमेव प्रासाधीति फलतो न कश्चिद्विशेष इति स्मर्तव्यम् / કોઈક સ્થળે (એ ગાથાના ઉત્તરાર્ધના અંતે) “સૂક્ષ્મ અનાલંબન'ને બદલે “સૂક્ષ્મ આલંબન' એવો પણ પાઠ જોવા મળે છે. ત્યાં પણ “સૂક્ષ્મ આલંબન નામનો આ યોગ છે' એમ ઘટાવી “એ અનાલંબન યોગ જ છે' એમ અર્થ સમજવો. આ યોગના અધિકારમાં ચૌદમા ષોડશકમાં ગ્રંથકાર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું છે કે - "1 - સાલંબન અને 2 - નિરાલંબન એમ બે પ્રકારના શ્રેષ્ઠ યોગ જાણવો. એમાંથી “જિનેશ્વરનાં રૂપનું ધ્યાન કરવું? - એ પહેલો યોગ છે. તો જિનેશ્વરના કેવળજ્ઞાનાદિ સ્વભાવ વિષયક ધ્યાન' એ બીજો યોગ છે. - આંખ વગેરે ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનનો વિષય બનતી પ્રતિમા-મૂર્તિ વગેરેનું જેમાં આલંબન છે, તે સાલંબન ધ્યાન છે. આંખ વગેરે ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનની પ્રાપ્તિરૂપ આલંબનથી જૂદું પડેલું ધ્યાન નિરાલંબન છે. (જેમાં ચક્ષુ વગેરે ઈન્દ્રિયોના વિષય બનતી જિનપ્રતિમા વગેરેનું આલંબન હોતું નથી તેવું ધ્યાન તે નિરાલંબન ધ્યાન છે.) અર્થાત્ છબસ્થ આત્માઓ વડે જેનું ધ્યાન ધરાય અને જે ઈન્દ્રિયો વડે ન દેખાય - ન જણાય એવો જેનો વિષય હોય તે નિરાલંબનધ્યાન કહેવાય છે. સમવસરણમાં રહેલા જિનેશ્વરનું ધ્યાન ખરેખર આદ્યસાલંબન યોગ છે. તે જ જિનનું સર્વઆત્મપ્રદેશોના સંગ્રહરૂપ જે કેવળજ્ઞાનાદિસ્વભાવરૂપ સ્વરૂપ હોય છે, તેમાં સ્થિરતા પામતું રહેતું) ધ્યાન તે બીજો=અનાલંબન યોગ છે. અહીં, અરૂપીતત્ત્વ પ્રગટવિષયવાળું નથી. એટલે કે ઈન્દ્રિયનો વિષય બને તેવું નથી. માટે ષોડશકમાં એનું “અનાલંબન' પણું કહ્યું છે; જ્યારે પ્રસ્તુત યોગવિંશિકા ગ્રંથની આ ગાથામાં, પરમાત્માના કેવળજ્ઞાનરૂપ અરૂપી સ્વરૂપનો માત્ર વિષય તરીકે ઉલ્લેખ કરેલો હોવાથી તેનું આલંબનપણું કહેવાયું છે, આમ છતાં પણ પરમાત્મવિષયક આલંબન નહિંવત્ હોવાને કારણે (અલ્પતાતુ અવિવણિતમ્ ન્યાયે) એનું “અનાલંબન'પણું જ સિદ્ધ થાય છે. તાત્પર્ય જોતાં બંને વાત એક જ છે.