________________ योगविंशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१८ अव. सदनुष्ठानभेदानेव प्ररूपयंश्चरमतभेदे चरमयोगभेदमन्तर्भावयन्नाह - एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं / नेयं चउब्विहं खलु, एसो चरमो हवइ जोगो / / 18 / / 'एयं च' त्ति / 'एतच' सदनुष्ठानं प्रीतिभक्तयागमाननुगच्छति तत् प्रीतिभक्तव्यागमानुगं प्रीत्यनुष्ठानं - ચૈત્યવંદન કઈ રીતે મોક્ષનું કારણ બને છે - તે દર્શાવતાં બે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. આ ગ્રંથમાં જે સ્થાનાદિયોગનું વર્ણન ચાલે છે, તેની મુખ્યતાને અનુલક્ષીને પહેલો વિકલ્પ રજૂ કરતાં જણાવ્યું કે - ચૈત્યવંદનમાં ચૈત્યવંદનનું આસન મુદ્રારૂપસ્થાન', ચૈત્યવંદનના સૂત્રોના ઉચ્ચારરૂપ વર્ણ, ચૈત્યવંદનસૂત્રના એદંપર્યાર્થ સુધીના અર્થના ચિંતનરૂપ‘અર્થ, અરિહંતના અતિશયોરૂપરૂપી દ્રવ્યના અવલંબનરૂપ “આલંબન' અને સિદ્ધાવસ્થાના ગુણોના અવલંબનરૂપ જે અનાલંબન - આ રીતે પાંચ પ્રકારના યોગનો આશ્રય કરાય છે. આ પાંચેય પ્રકારનો યોગ મોક્ષનું કારણ હોવાથી તે યોગના કારણભૂત ચૈત્યવંદન પણ મોક્ષનું કારણ કહેવાય છે. - આ રીતે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને, ચૈત્યવંદનને સીધુ કારણ ન માનતાં મોક્ષના કારણ તરીકે યોગને સીધું કારણ માન્યું અને ચૈત્યવંદનને મોક્ષના કારણભૂત પંચવિધ યોગના કારણ તરીકે પરંપરાએ મોક્ષનું કારણ માન્યું, એટલે આ પહેલા વિકલ્પમાં ચૈત્યવંદન ઉપચારથી યોગરૂપ બન્યું. - બીજા વિકલ્પમાં પહેલી ગાથાનાં પહેલાં ત્રણ પદમાં જણાવેલ-મુલ્લેખનીયTગનો સવોડવિ ઘમવીવારોપરિ સુદ્ધો-મોક્ષ સાથે જોડાવાના કારણે પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે. - આ લક્ષણને અનુસરીને ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને જ સીધું યોગરૂપ જણાવ્યું છે. કારણ કે, આ લક્ષણ મુજબ જે પણ સદનુષ્ઠાન હોય, તે બધું જ મોક્ષનું કારણ બને છે અને ચૈત્યવંદન પણ સદનુષ્ઠાનરૂપ હોવાથી તે સીધું જ મોક્ષનું કારણ બને છે, એમ જણાવ્યું છે. આથી આ બીજા વિકલ્પમાં ચૈત્યવંદન નિરુપચરિત યોગરૂપ બન્યું. - આ બન્નેય વિકલ્પોમાં નયભેદ, વિવક્ષાભેદ હોવાથી તેમાં જરા પણ વિરોધાભાસ આવતો નથી. પહેલો આ પ્રકાર પહેલી ગાથાના છેલ્લા પદમાં જણાવેલ ‘ટાઈIsrગોવિલેસે' - “સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષ પ્રકારે યોગ કહેવાય છે' - એવા યોગના વિશેષ લક્ષણને આધારે દર્શાવાયો છે અને બીજો પ્રકાર પહેલી ગાથાના પહેલા ત્રણ પદમાં જણાવેલ - “મુQળનોયUTગો નો સબ્રોડવિથમેવાવારો પરિશુદ્ધો મોક્ષ સાથે જોડતો હોવાથી સઘળો પરિશુદ્ધ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે - એવા યોગના સામાન્ય લક્ષણને આધારે દર્શાવાયો છે - //1શા અવ. આ રીતે સદનુષ્ઠાનના ભેદોની જ પ્રરૂપણા કરતાં તેના છેલ્લા બેદમાં યોગના છેલ્લા ભેદનો સમાવેશ કરતાં કહે છે કે - ગાથા-૧૮ઃ આ સદનુષ્ઠાન : 1 - પ્રીતિને અનુસરનાર, 2 - ભક્તિને અનુસરનાર, 3 - આગમ (વચન)ને અનુસરનાર અને 4 - અસંગથી યુક્ત - એમ નક્કી ચાર પ્રકારનું જાણવું. એમાંથી “અસંગ' નામનું અનુષ્ઠાન છેલ્લો યોગ અનાલંબન યોગ થાય છે - 18. વ્યાખ્યાર્થ: આ સદનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ અને આગમ (વચન)ને અનુસરે છે, તેથી અનુક્રમે - 1 પ્રીતિઅનુષ્ઠાન, 2