________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
વચનામૃત
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ગે ધર્મ સાધી શકાય છે. હે ભવ્યો ! શુદ્ધ નિમિત્ત કારણોને સે કે, જેથી આત્માને લાગેલું કરૂ૫ કલેક દૂર થાય. સુજ્ઞો યાદ રાખો કે, આત્મા સારા નિમિત્ત સંયોગે ધર્મધ્યાન ધ્યાવે છે. હાલના વખતમાં શુકલ ધ્યાનને વિરહ છે. તેપણુ ધ્યાન તે છે. સત્સંગત કરવી, એ ધર્મ સાધન કરવામાં અત્યુત્તમ કારણ છે. જેના સંગે આત્મા, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત થાય, તેની સંગતિ કરવી જેવાં જેવાં નિમિત્ત મળે છે, તે તેવો આત્મા થઈ જાય છે. શિલાને સૂર્યના કિરાનો સ્પર્શ થતાં ઉષ્ણુ થઈ જાય છે, અને રાત્રીએ શીત ઋતુમાં શીત પુગલોનો સંગ થતાં શિલા ઠંડી થઈ જાય છે. તેમ આ આત્માને વૈરાગીની સંગતિ થવાથી આત્મા વૈરાગ્ય પામે છે, અને આત્માને મિથ્યાવીની સંગતિ થતાં મિથ્યાત્વી પણ થઈ જાય છે. •નિમિત્ત કારણો પણ અત્યંત બળવાન છે.
સતસંગમ જે પામીએ, પ્રગટે પુય પસાય;
કારણ કારજ નીપજે, વાદળને જેમ વાય, મોટા પુણ્યના યોગે સત્સમાગમ થાય છે. પુરૂષને સમાગમ થતાં આત્માના શુદ્ધ સ્વભાવનું જ્ઞાન થાય છે. પશ્ચાત આત્મા જાણે છે કે, અહીં મેં આટલો કાળ અજ્ઞાન દશામાં ગુમાવ્યો. હું પરવસ્તુમાં સુખની ભ્રાંતિ કરું છું. પણ પર વસ્તુ જે પુદગલ તે મારું નથી. એ પુદ્ગલ દ્રવ્યની સંગતિ કરવી સારી નથી. સુવર્ણ, રૂપું, હીરા, મોતી, અને કર્મ એ સર્વ પુદ્ગલ દ્રવ્ય છે, તે આત્મદ્રવ્ય નથી. આત્મા તે થકી ભિન્ન છે. આત્મા સર્વ પ્રકારના પુલ દ્રવ્યથી ભિન્ન છે, આત્મા અરૂપી છે, અને પુદ્ગલ દ્રવ્યરૂપી છે. તો રૂપી દ્રવ્ય સાથે અરૂપી જે આત્મા તેને સંગતિ કરવી ઘટતી નથી. પુલની આત્માથી ભિન્ન જાતિ છે, અને એ પુદ્ગલ દ્રવ્ય આત્માને શત્રુ સદશ છે. માટે શત્રભૂત પુગલ દ્રવ્યની મિત્રાઈ મમતા ભાવે કયો સુજ્ઞ માણસ કરવા ધારે! એ પુદ્ગલ દ્રવ્યની સાથે પ્રીતિ કરતાં દુઃખ પમાય એ નક્કી છે. કમરૂપ પુદગલ દ્રવ્ય સંગે આત્મા પિતાનું ભાન ભૂલી ચોરાશી લાખ છવ યોનિમાં ભટકે છે. સુશાએ યાદ રાખવું કે, સત્સંગમ અત્યંત હિતકારક છે. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે, જેણે શાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તેણે શુદ્ધ આલંબન સેવવાં.
શુદ્ધ આલંબન આદરે, તજી અવર જાલરે તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ, ૧
For Private And Personal Use Only