________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધમ સ્વરૂ૫.
૩૪૩
લાયક થતા નથી. પિતાના કુટુંબ તથા જ્ઞાતિ વર્ગને પણ તે ધર્મમાં સ્થિર કરી શકતા નથી અને પોતે પણ ધર્મમાં સ્થિર રહી શકતા નથી.
જે ગીતાર્થ ગુરૂએ સમજાવ્યા છતાં પણ પકડેલા હઠને છોડે નહીં, તે સ્થાણુ સમાન શ્રાવક જાણ. તે શ્રાવક અભિમાની હોવાથી પિતાની હઠ બેટી છે; એમ જાણતો છતો પણ છેડતો નથી. તે શ્રાવક ગુરૂ પાસેથી સત્ય તત્વને વિશેષતઃ ગ્રહણ કરવા સમર્થ થતું નથી. તે શ્રાવક જો કે મુનિ ગુરૂપર દૈષ બુદ્ધિ ધારણ કરતા નથી, પણ ગુરૂ પાસેથી વિશેષ લાભ મેળવી શકવા સમર્થ થતો નથી. કોઈ વખત તેવો શ્રાવક કદાપિ હઠને ત્યાગ કરી, પિતાની ભૂલ કબુલ કરી ગુરૂની પાસેથી વિશેષ લાભ મેળવવા પણ સમર્થ થાય છે. કારણ કે, તે સાધુઓ પર દેશ કરતા નથી, તેથી ઉચ માર્ગપર ચડવાને યોગ્ય બને છે.
ગુરૂ મહારાજ સાચું કહે તોપણ જે શ્રાવક કહે કે તમો તો ઉન્માર્ગ બતાવે છે, નિન્દવ છે, મૂઢ છે, મદધર્મી છે. એ રીતે ગુરૂને ખરડે તે ખરેટ સમાન શ્રાવક જાણુ. જેમ વિણા વગેરે અશુચિદ્રવ્યને અડનાર (સ્પર્શનાર) ને તે ખરડે છે. તેમ જે શ્રાવક પિતાને શિખામણ આપતા એવા ગુરૂને ખરડે તે ખરેટ સમાન શ્રાવક જાણવા. ખરેટ સમાન શ્રાવકે ગુરૂને પાખંડી કહીને બોલાવે છે. આ તો ઉસૂત્ર ભાષક છે, સાધુ ગુરૂ નથી પણ કુગુરૂ છે, એની સંગતિ કઈ કરશે નહિ એમ બોલે, લખે, છપાવે ઈત્યાદિ પિતાનાથી બનતું અશુભ કર્યા વિના ચુકતા નથી. તેવા શ્રાવકે લોકોને એમ સમજાવે છે કે, એવા ગુરૂની સંગત કરશે તે પાપના ભકતા બનશે, આવા શ્રાવકો જ્યાં ત્યાં સાધુ ગુરૂની હેલના કરતા ફરે છે, સાધુ ગુરૂને માનનારાઓને ભમાન છે અને કહે છે કે, તમે એની સંગતિ છોડી દો. એ સાધુ તો મહાધર્ત છે. ખરેટ જેવા શ્રાવકો સાધુ ગુરૂની રૂબરૂ પણ મહામોહનીય કર્મ બંધાય તેવાં વચન ઉચ્ચારે છે, અને છતાં વા અછતાં આળ, માથે ચઢાવીને ગુરૂને ખરડે છે. ગુરૂ શિખામણુ તેવા ખરંટ શ્રાવકને આપે છે તે ઉલટા તેઓ “ વાનરે જેમ સુઘરીને માળો વિખેરી નાંખ્યા તેની પેઠે” સાધુઓને મૂળમાંથી ખોદી કાઢવા જરા પણ બાકી રાખતા નથી. આવા ગુરૂ તો સર્ષ પિશાચ કરતાં ભૂંડા છે, મહા પાપી છે એમ બેલી કલેશ કરે, કરાવે, નિંદા કરે, કરાવે, દેષ કરે, સાધુઓનું બુરૂ કરવા અનેક પ્રચો રચે. તેવા ખરટ અને શકય સમાન શ્રાવકો, નિશ્ચયથી મિથ્યાત્વી જાણવા. તેપણ તે જિન. મરિ દર્શન વગેરે ધર્મની કેટલીક ક્રિયાઓ કરે છે; તેથી વ્યવહારથી શ્રાવક કહેવાય છે, પણ શકય અને ખરંટ જેવા શ્રાવકે, માર્ગનુસારીપણું પામવાને માટે અધિકારી જણાતા નથી. શ્રાવકનો ચાંલ્લો કરે તેથી તે કંઈ
For Private And Personal Use Only