Book Title: Vachanamrut
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪.
શ્રાવક ધર્મ સ્વરૂપ.
સાંસારિક વિષય સુખની ભ્રાતિમાં જીવન વહન કરવું એ કંઈ માનવ ભવનું ફળ નથી. શારીરિક વિષય સુખની દશા ક્ષણિક છે, ક્ષણિક સુખના સ્વાર્થમાં ઉત્તમ છદગીને વ્યર્થ નાશ કરે એ કંઈ સત્ય વિવેક ગણાય નહીં.
મોહના વિશે પુરૂષ સ્ત્રીયોમાં ફસાય છે અને મોહના વશે સ્ત્રીઓ પુરૂષોમાં ફસાય છે, વિષયની બુદ્ધિથી એક બીજાનો રાગના યોગે સંબંધ બાંધવો તે સ્વાર્થ સંબંધ ગણાય છે. વિષયના સ્વાર્થ પર્યત એવો સ્ત્રી પુરૂષને રાગ સંબંધ ટકી શકે છે પણ પશ્ચાત વિષય સ્વાર્થના નાશે તે સંબંધ ટકી શકતો નથી. ભાવશ્રાવક પ્રજોત્પત્તિ આદિ હેતુથી મેહની સ્ત્રીના સંબંધમાં આવે છે પણ જળકમળની પેઠે નિર્લેપ રહે છે. ભાવશ્રાવકો ખરેખર કારાગ્રહ સમાન સ્ત્રી સંબંધથી છૂટા થવાને મનોરથ કર્યા કરે છે. ભાવશ્રાવિકાઓ પણ તે પ્રમાણે કરે છે.
भावश्रावकनो द्वितीय गुण.
માથા इंदियचवल तुरंगे, दुग्गइमग्गाणु धाविरेनिच्चं । भाविय भवस्सरूवो, रुंभइसन्नाणरस्सीहिं ॥ २ ॥
ઈદ્રિય રૂ૫ ચંચળ અવો દુર્ગતિ માર્ગ પ્રતિ ધાવનારા છે. સંસારના સ્વરૂપની ભાવના કરનાર ભાવશ્રાવક તે ઈન્દ્રિયો રૂપ અવોને જ્ઞાનરૂપ રસીથી વશમાં રાખે છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયનું સ્વરૂપ દ્રવ્ય અને ભાવથી સમજવું. નિવૃત્તિ અને ઉપકરણ એ બે ભેદ ઇન્દ્રિયના થાય છે. નિવૃત્તિ એટલે આકાર તે બાહ્યથી વિચિત્ર હોય છે, વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય તે ઉપકરણે ન્દ્રિય થાય છે. કારણ કે નિવૃત્તિ રૂ૫ ઈન્દ્રિય છતાં ઉપકરણેન્દ્રિયને ઉપઘાત થયો હોય તે વિષયનું ગ્રહણ થતું નથી.
ઉપકરણેન્દ્રિય પણ દ્રવ્યેન્દ્રિયને દિતીય ભેદ અવધો . ભાવેન્દ્રિયનું સ્વરૂપ તો આ પ્રમાણે છે. લબ્ધિરૂ૫ અને ઉપયોગરૂ૫–તે તે ઇન્દ્રિયાવર
ના ક્ષપશમનો જે લાભ થાય તે ભાવેન્દ્રિય લબ્ધિ જાણવી. તતતત ઇન્દ્રિયાવરણ ક્ષયોપશમ રૂપે લાભની પ્રાપ્તિ થએ તે બેન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે. દરેક ઇન્દ્રિયો પિતપોતાના વિષયને વ્યાપાર કરે તે ભાવેન્દ્રિય
For Private And Personal Use Only

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390