Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 279
________________ ૨૫૪ તવાખ્યાન. ઉલક ગેત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી લુક્ય નામ અને છ પદાર્થોને માનતા હેવાથી એમનું ષડેલુય નામ સમજવું. આ સર્વ બીના વિશેષાવશ્યકમાં પૃ. ૯૮૧ થી ૧૦૦૩ સુધી વિવેચન કરીને સારી રીતે જણાવવામાં આવી છે. આ ઉપરથી સહેજ સમજી શકાય તેમ છે કે ખુદ ઈશ્વરે ઘુવડનું રૂપ ધારણ કરી કણાદ ઋષિ અપર નામ રેહગુપ્તની આગળ છ પદાર્થોને ઉપદેશ કર્યો એમાં કેટલી સત્યતા છે તેને વિચાર કરવાનું કાર્ય વાંચક વર્ગને સેંપવામાં આવે છે. પિતે કપેલા પદાર્થોને ઈશ્વરપ્રણીત કહેવરાવવાની ખાતર ઈશ્વરને જ ઘુવડના રૂપનું ધારણ કરવાનું કંલક આપવું તે સારા મનુષ્યને શેભા સ્પદ કહેવાય નહિ. વળી ઈશ્વરને બીજી કોઈ પણ રીતે ઉપદેશ આપવાનું યાદ ન આવ્યું કે જેથી ઘુવડનું રૂપ ધારણ કર્યું. અશરીરિ ઈશ્વરને કઈ વાર ઘુવડનાં તે કઈ વાર વરાહના અને કઈ વાર મચ્છનાં રૂપે બનાવવાની કલ્પના કરવી, આવી અસંબદ્ધ વાતે શ્રદ્ધાળુ ભકતે સિવાય બીજાઓના મને મદિરમાં કેવી રીતે નિવાસ કરી શકે એને વિચાર આપ પોતેજ કરશે. આ સિવાયની ઇશ્વર વિષયની માન્યતા નૈયાયિકના જેવી હેવાથી નૈયાયિક દર્શનની સમાલોચનાના પ્રસ્તાવમાં વિવેચન કરેલ હોવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. આ દર્શનના પ્રથમ પ્રણેતા ઐલુકય વંશીય કણાદ ઋષિ હોવાથી આ દર્શન અનાદિ કાલનું છે એમ તે કઈ પણ કહેવાનું સાહસ કરી શકે જ નહિ. હવે પદાર્થોને વિચાર કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330