Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 323
________________ ૨૮૮ તવાખ્યાન, સમવાય પદાર્થ વિચાર, આ તંતુમાં પટ છે, એવી બુદ્ધિ સિવાય સમવાય પદાર્થ માનવામાં બીજું કંઈ પણ કારણ છેજ નહિ. પરંતુ બુદ્ધિ તે એથી ઉલટી જ લેકેમાં પ્રસિદ્ધ છે. આ પટમાં તંતુ છે, ઘટમાં કપાલ છે, કપાલમાં રૂપ છે. જ્યારે આવા પ્રકારનું જ્ઞાન એક બાલકને પણ થઈ શકે તેવું છે, ત્યારે તંતુમાં પટ છે એવા જ્ઞાન માટે સમવાય પદાર્થની કલ્પના કરવી તે તે બુદ્ધિમત્તા સિવાય બીજું શું કહી શકાય? વળી સમવાયને સંબન્ધ રૂપે માની શકાય તેમ છેજ નહિ, કેમકે જે બે પદાર્થ માં રહે અને સંબન્ધીથી ભિન્ન હોય તેને જ આપ લેક સંબન્ધ કહે છે. આ લક્ષણ જ્યારે સમવાયમાં ઘટતું નથી ત્યારે એને સંબન્ધ રૂપે કેવી રીતે માની શકાય? વળી આ ઠેકાણે તંતુમાં પટ છે, એવી પ્રતીતિથી સંબન્ધ માત્ર સિદ્ધ કરવા ચાહો છે કે સંબન્ધ વિશેષને સિદ્ધ કરવાની ભાવના છે? આ બે પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રથમ પક્ષ માનવામાં તે અમે પણ સંમત છીએ, કેમકે તંતુ અને પટને તાદામ્ય રૂપ સંબધ માનવામાં લગાર માત્ર સંકેચ છે જ નહિ. પ્ર. તંતુ પટને તાદામ્ય સંબન્ધ માનવામાં તે તંતુઓ કાં તે રહેવાના, કાં તે પટ રહેવાને. પરંતુ તાદાઓ સ્વરૂપમાં તે બે પદાર્થ કહી શકાય જ નહિ. અને જ્યારે સંબન્ધી એક છે ત્યારે એમાં રહેવાવાળા સંબધને એકમાં રહેવાથી એનું સંબન્ધ નામ કેવી રીતે આપી શકાય?

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330