Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 301
________________ ૨૭૬ તવાખ્યાન, અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરવા પ્રયત્ન જે કર્યો તે તે બહુજ સારૂં કયું; પરતુ આત્માથી જ્ઞાન ભિન્ન છે તે પણ સમવાય સંબન્ધથી આત્મામાં રહે છે અને આત્મા વ્યાપક છે એ બાબતે ઉપર વિચાર કરવામાં આવે છે. પ્ર. જ્ઞાનને જે સર્વથા આત્માથી ભિન્ન માનવામાં આવે તે જેમ બીજાના જ્ઞાનથી આપણને વસ્તુને પરિચય થતું નથી તેમ પોતાના જ્ઞાનથી પણ પોતાને વસ્તુની ઓળઆણ ન થવી જોઈએ. ઉ૦ સમવાય સંબધથી જે આત્માની અન્દર જે જ્ઞાન રહેલું હોય તે જ આત્મામાં તેજ જ્ઞાન વસ્તુની ઓળખાણ કરાવતું હોવાથી આ દેશને અવકાશ છેજ નહિ, એમ પણ કહેવાનું સાહસ કદાપિ ન કરવું, કેમકે સમવાય તે એક નિત્ય અને વ્યાપક હોવાથી સર્વત્ર વર્તમાન છે અને આત્મા પણ સર્વત્ર આપના મત પ્રમાણે વ્યાપક છે. ત્યારે એકના સાનથી બીજાને પણ વસ્તુની ઓળખાણ કેમ ન થાય? તથા જેમ ઘટમાં રૂપાદિ ગુણ સમવાય સંબન્ધથી રહેલા હેવાથી તેના નાશથી તેના આધારભૂત ઘટને પણ નાશ થાય છે, તેમજ જ્ઞાન પણ આત્માની અન્દર સમવાય સંબન્ધથી રહેલું છે, અને તે પણ ક્ષણિક હોવાથી તે જ્ઞાનના વિનાશ થવાથી આત્માને પણ વિનાશ અને તેની સાથે અનિત્યપણાની આપત્તિ પણ આવવાની. - પ્ર. આત્મામાં જ્ઞાન સમવાય સંબન્ધથી રહે છે, આ

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330