Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 315
________________ ૨૦૦ તરવાખ્યાન. ણમાં અસમવાયિકારણુપણું હેવાથી સંખ્યા પદાર્થ માન્યા સિવાય તેને નિર્વાહ કેવી રીતે થશે? ઉ. પરિમાણમાં સંખ્યાને અસમાયિકારણ માનવાની કંઈ પણ જરૂર નથી. ઘટાદિની માફક. કારણ પરિમાણ જ કાર્ય પરિમાણનું અસમાયિકારણ હોવાથી તેને માટે સંખ્યાને પદાર્થ રૂપે અલગ માનવાની જરૂર છેજ નહિ. પ્રપ્રયાણુકના પરિમાણને પરમાણુ પરિમાણથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે તે દ્વયકનું પરિમાણ પણ પરમાશુના પરિમાણ જેવું થઈ જશે. માટે કયણુકનું પરિમાણુ સંખ્યાથી ઉત્પન્ન થએલ છે એમ માનવું જોઈએ. ઉ૦ દષ્ટાન્ત કઈ પણ નહિ હોવાથી કાર્ય કારણનું સરખું પરિમાણ માનવામાં આવતું નથી. દરેક ઠેકાણે કારણ પરિમાણથી મહેતું કાર્ય પરિમાણ જોવામાં આવે છે. વળી પરિમાણની માફક કર્મમાં પણ આપના અભિપ્રાય પ્રમાણે સંખ્યાને અસમાયિકારણ માનવું પડશે, કેમકે બે યા ઘણું લેકે મળીને એક મહેટા પત્થરને ઉપાડે છે, એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. પરંતુ ત્યાં આપ સંખ્યાને અસમાયિકારણ છે, જેમ માનતા નથી તેમજ આપના વિચાર પ્રમાણે તે પરિમાણમાં પણ સંખ્યાને અસમાયિકારણ ન માનવું જોઈએ. અને જ્યારે પરિમાણની અસમાયિકારણતા સંખ્યામાં સિદ્ધ થતી નથી ત્યારે સંખ્યાને સ્વતંત્ર ગુણ પદાર્થ માનવામાં બીજું કયું નિમિત્ત રહ્યું કે જે સંખ્યાને પઢાર્થ રૂપે સિદ્ધ કરી આપે?

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330