Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 303
________________ ૨૭૮ તસ્વાખ્યાન. રહ્યું? અને જ્યારે આપના મત પ્રમાણે દીવામાં પ્રકાશ રૂપતા સિદ્ધ થતી નથી ત્યારે સ્વપરપ્રકાશકસ્વભાવનું દષ્ટાંત આપી સમવાયને સિદ્ધ કરવાને મને રથ આકાશપુષ્પસમાન સમજ. અને જ્યારે સમવાય સિધ્ધ ન થયે ત્યારે આત્માથી ઘટની માફક સર્વથા ભિન્ન જ્ઞાનને આત્મામાં સંબન્ધ કેવી રીતે ઘટી શકશે એને વિચાર આપજ કરશે. - બીજી પણ પ્રસંગોપાત્ત એક વાત યાદ આવે છે. જે દીવાની સાથે પ્રકાશને અત્યન્ત ભેદ માનીને પણ સ્વપરપ્રકાશકપણું માનવામાં આવે તે ઘટ, પટ વિગરે બીજી ચીજે શે ગુન્હો કર્યો કે પ્રકાશની માફક ભિન્ન હોવા છતાં પણ દીવાને સ્વપર પ્રકાશક માન, ઘટ, પટ વિગેરેને ન માનવા? આ તે ન્યાયથી તદ્દન વિરૂદ્ધજ કહેવાય. વળી સમવાયને જે સ્વપરને સંબન્ધ કરાવવાને સ્વભાવ છે તે સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન છે? ભિન્ન છે એમ જે પથમ પક્ષ માનવામાં આવે તે સમવાયને જ સ્વપર સબધ કરાવવાને સ્વભાવ છે, બીજાને નથી એમ કેવી રીતે કહી શકાય? આ દેશના ડરથી બીજે અભિન્ન પક્ષ માનવામાં આવે તે સમવાય માત્ર બાકી રહે; સ્વભાવ તે હવામાં ઉડી જાય. આ સમવાયની અન્દર સમવાય છે એવી બુધિ જેમ સમવાય સિવાય પણ ઉત્પન્ન થાય છે તેમ આત્માની અન્દર જ્ઞાન છે એવી બુદ્ધિ પણ સમવાય પદાર્થ સ્વીકાર્યા સિવાય માનવામાં આવે તે શે બાધ છે એને વિચાર કરશે.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330