Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 305
________________ તયાખ્યાન. - વળી બાહ્યકરણમાં રહેલા તમામ ધર્મો આભ્યન્તર કરણમાં માની શકાય તેમ પણ નથી, છતાં જે માનવામાં આવે તે દેશને અવકાશ જરૂર રહે ટીન ક્રુષા હેવત્તઃ અરતિ–દીવા દ્વારા ચસુથી દેવદત્ત પોતે પદાર્થનું અવેલેકન કરે છે. આ ઠેકાણે દીવાની માફક દેવદત્તની સાથે ચક્ષુને પણ સર્વથા ભેદભાવને પ્રસંગ આવવાને. હવે વાંસલે પણ સુથારથી એકાન્ત ભિન્ન નથી એ વાત સમજાવવામાં આવે છે. આ લાકડાને આ વાંસલા વડે હું ઘડીશ, આવી રીતે જ્યાં સુધી વાંસલાને ગ્રહણ કરવાના પરિણામથી પરિણત ન થયેલ હોય ત્યાં સુધી તેને ગ્રહણ કર્યા સિવાય લાકડાને ઘડી શકે જ નહિ, પરંતુ જ્યારે તેવા પ્રકારના પરિણામથી પરિણત થાય ત્યારે જ તેવા પ્રકારના પરિણામની અન્દર વાંસલે પણ તે લાકડાને ઘડવામાં વ્યાપારવાળે થાય અને પુરૂષ પણ થાય. આવી રીતે એ કાર્યનું સાધકપણું બંનેમાં હેવાથી તેને લઈને વાંસલાની સાથે સુથારને અભેદ ઘટી શકે, ત્યારે આપજ કહેશે, આવા ઠેકાણે પણ જ્યારે અભેદ ભાવની ઉત્પત્તિ થતી હોય ત્યારે સર્વથા ભેદભાવ કેવી રીતે માની શકાય? તેવીજ રીતે આ જ્ઞાન વડે હું અર્થને જાણું છું એવા પ્રકારના પરિણામથી પરિણત થઈ જ્યારે જ્ઞાનને ગ્રહણ કરીને અર્થને નિશ્ચય કરીશ, ત્યારે તે સંવિત્તિરૂપ એક કાર્યના સાધક પણાને લઈને જ્ઞાન અને આત્માને અભેદ બરાબર

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330