Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદઃ- તો જિનવાણીનો અર્થ સમજવાની પદ્ધતિ શું છે? પં. ટોડ૨મલઃ- જિનવાણીમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે. નિશ્ચય-વ્યવહારનું સાચું સ્વરૂપ નહીં સમજવાને કા૨ણે સામાન્ય જનો તેના મર્મને સમજતા નથી. એ જ પ્રમાણે જિનવાણી ચાર અનુયોગોની પદ્ધતિમાં વિભાગ પાડીને લખવામાં આવી છે. દરેક અનુયોગની પોતપોતાની પદ્ધતિ જુદી જુદી છે. જ્યાં સુધી આપણે તે પદ્ધતિને સમજીએ નહીં ત્યાં સુધી જિનવાણીનો પાઠ કરીને પણ તેના રહસ્યને પામીશું નહીં. દીવાન રતનચંદઃ- કૃપા કરીને આજે અમને નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ અને અનુયોગોની પદ્ધતિ સંબંધમાં જ સમજાવો. પં. ટોડરમલ:- નિશ્ચય-વ્યવહારની વાત તો થોડા દિવસો પહેલાં જ વિસ્તારથી સમજાવવામાં આવેલી છે તથા ચાર અનુયોગોના સંબંધમાં પણ એક દિવસ વિસ્તારથી બતાવવામાં આવેલું હતું. દીવાન રતનચંદઃ- હા, એની સામાન્ય જાણકારી તો અમને છે, પરંતુ અમે તો આજે શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિના સંદર્ભમાં એ સમજવા ઈચ્છીએ છીએ. પં. ટોડરમલઃ- આપને નિશ્ચય-વ્યવહારના સ્વરૂપની ખબર છે તો બોલો, નિશ્ચય કોને કહે છે અને વ્યવહાર કોને કહે છે? ,, k દીવાન રતનચંદઃ- “યથાર્થનું નામ નિશ્ચય છે અને ઉપચારનું નામ વ્યવહાર. અથવા આ પ્રમાણે પણ કહી શકાય કે- “એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર છે.” પં. ટોડરમલઃ- ત્યારે તો આપને એ પણ માલૂમ હશે કે વ્યવહારનય સ્વદ્રવ્ય૫૨દ્રવ્યને, તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે; અને નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી. ૧. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૩, પાઠ ૮. ૨. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૨, પાઠ ૪. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83