Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છ કારકો પ્રવચનકા૨: एस सुरासुरमणुसिंदवंदिदं धोदघाइकम्ममलं । पणमामि वड्ढमाणं तित्थं धम्मस्स कत्तारं ।।१।। આ પ્રવચનસાર નામનું મહાશાસ્ત્ર છે. આચાર્ય કુન્દકુન્દદેવે આજથી આશરે બે હજાર વર્ષ પહેલાં તે રચ્યું હતું. આ ગ્રંથરાજ જેવો મહાન છે તેવી જ તેના ઉપર તત્ત્વદીપિકા નામની મહાન ટીકા આચાર્ય અમૃતચંદ્ર સંસ્કૃત ભાષામાં લખેલી છે. એના ત્રણ મહા અધિકાર છે: (૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન, (૨) શયતત્ત્વ પ્રજ્ઞાપન. (૩) ચરણાનુયોગસૂચક ચૂલિકા. અહીં એના જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારની ગાથા ૧૬ મી ચાલે છે. એમાં એમ ફરમાવ્યું છે કે શુદ્ધોપયોગ વડે થતી શુદ્ધાત્માની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યન્ત સ્વાધીન છે, લેશમાત્ર પણ પરાધીન નથી. તાત્પર્ય એ છે કે અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદની પ્રાપ્તિ માટે માત્ર પણ પરના સહ્યોગની આવશ્યકતા નથી. ગાથા આ પ્રમાણે છે : तह सो लद्धसहावो सव्वण्हू सव्वलोगपदिमहिदो । भूदो सयमेवादा हवदि सयंभुत्ति णिद्दिह्रो ।। १६ ।। સ્વભાવને પામેલો આત્મા સર્વજ્ઞ અને સર્વ લોકના અધિપતિઓથી પૂજિત સ્વયમેવ થયો હોવાથી “ સ્વયંભૂ છે – એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે. આચાર્ય અહીં એમ કહેવા ઇચ્છે છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો કોઈ સંબંધ નથી. શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે આ જીવ બાહ્ય સામગ્રી (પર પદાર્થોના સહ્યોગ) ની આકાંક્ષા વડે વ્યર્થ જ દુઃખી થઈ રહ્યો છે. જિજ્ઞાસુ કારકપણાનો સંબંધએ શું વસ્તુ છે? કારક કોને કહે છે? કૃપા કરીને એ સમજાવો. ૪૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83