Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 49
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે. તેથી જ અન્ય દ્રવ્ય તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યની ક્રિયાપરિણતિનો કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, અધિકરણ છે એ વ્યવહારથી જ કહેવામાં આવે છે; નિશ્ચયથી તો દરેક દ્રવ્ય પોતાની ક્રિયાપરિણતિનો પોતે જ કર્તા છે, પોતે જ કર્મ છે, પોતે જ કરણ છે, પોતે જ સંપ્રદાન છે, પોતે જ અપાદાન છે અને પોતે જ અધિકરણ છે; એ જ સિદ્ધ થાય છે. અનાદિકાળથી આ જીવ નિશ્ચય છે કારકોને ભૂલીને પોતાના વિકલ્પ વડે માત્ર વ્યવહાર છે કારકોનું અવલંબન કરતો આવ્યો છે, તેથી તે સંસારને પાત્ર બનેલો છે; જ્યારે તે નિશ્ચય છે કારકોનો યથાર્થ નિર્ણય કરીને પુરુષાર્થ વડે પોતાના ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો આશ્રય લઈ શુદ્ધાત્માનુભૂતિ કરે છે ત્યારે મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. તેથી જીવન સંશોધનમાં નિશ્ચય છે કારકોનું સમ્યજ્ઞાન કરવું પ્રયોજનભૂત છે, કાર્યકારી છે. અહીં એમ કહેવામાં આવ્યું છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. માટે શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે સામગ્રી (બાહ્ય સાધન ) શોધવાની-મેળવવાની વ્યગ્રતાથી જીવ (નકામા જ) પરતંત્ર થાય છે. જિજ્ઞાસુ આજે આપે અમને નિશ્ચય અને વ્યવહાર છ કારકોના સંબંધમાં જે બતાવ્યું તેનાથી અમને ખૂબ લાભ થયો, પરંતુ એક વાત સમજમાં ન આવી કે આપે કારકો છે જ કેમ બતાવ્યાં? અમે તો સાંભળેલું કે કારકો આઠ હોય છે. સંબંધ અને સંબોધનને કારક કેમ કહ્યાં નહીં ? પ્રવચનકાર: સંબોધનનો તો કારક હોવાનો પ્રશ્ન જ નથી ઊઠતો, પરંતુ સંબંધ પણ કારક નથી. આ બન્નેનો ક્રિયા સાથે કોઈ સંબંધ નથી. જે કોઈ ને કોઈ રૂપે કિયાવ્યાપાર પ્રતિ પ્રયોજક હોય છે તેને જ કારક કહેવામાં ४७ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83