Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શરૂ થતાં જ સર્વપ્રથમ સાતમું ગુણસ્થાન આવે છે, પછી છઠ્ઠું આવે છે. (૭) અપ્રમત્તસંયત જે ભાવલિંગી મુનિરાજ પૂર્વે કહેલા ૧૫ પ્રકારના પ્રમાદથી રહિત છે તેમને અપ્રમત્તસંયત ગુણસ્થાનવર્તી કહે છે. એમને અનંતાનુબંધી આદિ ૧૨ કષાયોનો અભાવ તો હોય જ છે, સાથે જ સંજ્વલન કષાયો તથા નોકષાયોની તીવ્રતા ન હોતાં સાતમા ગુણસ્થાનને યોગ્ય મંદતા હોય છે, તેથી એમને મલિનતા ઉત્પન્ન કરવાવાળો પ્રમાદ હોતો નથી અને મૂળગુણ-ઉત્તરગુણ આદિની સહજ નિરતિચાર પરિણતિ બની રહે છે; માટે એની અપ્રમત્તસંયત સંજ્ઞા સાર્થક છે. આ ગુણસ્થાનમાં બુદ્ધિપૂર્વક વિકલ્પો રહેતા નથી અને નિર્વિકલ્પ આત્માના અનુભવરૂપ ધ્યાન જ વર્તતું હોય છે. સાતમા સહિત આગળનાં સર્વ ગુણસ્થાનોમાં નિર્વિકલ્પ સ્થિતિ જ હોય છે. આ ગુણસ્થાનના બે ભેદો છેઃ(૧) સ્વસ્થાન અપ્રમત્તસંયત (૨) સાતિશય અપ્રમત્તસંયત જે સંયત ક્ષપકશ્રેણી અને ઉપશમશ્રેણી ૫૨ આરોહણ ન કરતાં નિરંતર એકએક અંતર્મુહૂર્તમાં અપ્રમત્તભાવથી પ્રમત્તભાવને અને પ્રમત્તભાવથી અપ્રમત્તભાવને પ્રાપ્ત થયા કરે છે, તેમને આવા ગુણસ્થાનની સ્વસ્થાન અપ્રમત્તસંયત સંજ્ઞા છે. ઉપરોક્ત મુનિરાજ, ઉગ્ર પુરુષાર્થપૂર્વક આત્મરમણતા વિશેષ વૃદ્ધિગત થવાથી, શ્રેણી-આરોહણની સન્મુખ થઈને અધઃપ્રવૃત્તકરણરૂપ વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે, એમના તે ગુણસ્થાનની સાતિશય અપ્રમત્તસંયત સંજ્ઞા છે. તેઓ જ્યારે ક્ષપકશ્રેણી-આરોહણને યોગ્ય ઉગ્ર પુરુષાર્થ વડે આત્મલીનતા કરે છે તો અંતર્મુહૂર્તમાં ૮, ૯, ૧૦ અને ૧૨ મા ગુણસ્થાનને પ્રાપ્ત કરી લે છે, અને એમને ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે અને અંતર્મુહૂર્તમાં તેઓ કેવળજ્ઞાનને (૧૩ માં ગુણસ્થાનને) અવશ્ય પ્રાપ્ત કરે છે. જો તેઓ ઉપશમ શ્રેણીને યોગ્ય મંદ પુરુષાર્થ વડે આત્મલીનતા કરે તો અંતર્મુહૂર્તમાં ૮, ૯, પદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83