Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 63
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૮ તીર્થકર ભગવાન મહાવીર તીર્થકર ભગવાન મહાવીર ભરતક્ષેત્રમાં આ યુગના ચોવીસમાં અને અંતિમ તીર્થંકર હતા. તેમના પહેલાં ઋષભદેવ આદિ બીજા ત્રેવીસ તીર્થંકરો થઈ ગયા હતા. ભગવાન અનન્ત હોય છે. પરંતુ તીર્થકર એક યુગમાં અને ભરતક્ષેત્રમાં ચોવીસ જ થાય છે. પ્રત્યેક તીર્થંકર ભગવાન તો નિયમથી હોય જ છે; પરંતુ પ્રત્યેક ભગવાન તીર્થંકર નથી હોતા. તીર્થકર થયા વિના પણ ભગવાન થઈ શકે છે. પ્રત્યેક આત્મા ભગવાન થઈ શકે છે. જે વડ સંસાર-સાગર તરી જવાય તેને તીર્થ કહે છે અને જે આવા તીર્થને કરે અર્થાત્ સંસાર-સાગરથી પોતે પાર ઊતરે તથા ઊતરવાનો માર્ગ બતાવે, તેને તીર્થકર કહે છે. ભગવાન જન્મતા નથી, બને છે. જન્મથી કોઈ ભગવાન હોતું નથી. મહાવીર પણ જન્મથી ભગવાન ન હતા. ભગવાન તો તેઓ ત્યારે થયા કે જ્યારે તેમણે પોતાને જીતી લીધા. મોહ–રાગ-દ્વેષને જીતવા એ જ પોતાને જીતવું છે. ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાન્ત જેટલા ગૂઢ, ગંભીર અને ગ્રાહ્ય છે; એટલું જ એમનું જીવન સાદું, સરળ અને સીધું છે; એમાં વિવિધતાઓને કોઈ સ્થાન પ્રાપ્ત થયેલું નથી. સંક્ષેપમાં એમની જીવન-ગાથા માત્ર એટલી જ છે કે તેઓ આરંભનાં ત્રીસ વર્ષો દરમ્યાન વૈભવ અને વિકાસની વચ્ચે જળથી ભિન્ન કમળવત્ રહ્યા. વચ્ચેનાં બાર વર્ષો દરમ્યાન જંગલમાં પરમ મંગળની સાધનામાં એકાન્ત આત્મ-આરાધનમાં લીન રહ્યા અને અંતિમ ત્રીસ વર્ષો દરમ્યાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે સર્વોદય ધર્મતીર્થનું પ્રવર્તન, પ્રચાર અને પ્રસાર કરતા રહ્યા. મહાવીરનું જીવન બહુ ઘટનાઓથી ભરપૂર નથી. ઘટનાઓમાં ૬૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83