Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 79
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates सूक्ष्मान्तरित दूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा । अनुमेयत्वतोऽग्न्यादि रिति सर्वज्ञसंस्थितिः ।। ५ ।। પરમાણુ આદિ સૂક્ષ્મ, રામ આદિક અંતરિત અને મેરુ આદિ દૂરવર્તી પદાર્થો કોઈને પ્રત્યક્ષ છે; કારણ કે તે અનુમાન વર્ડ જાણવામાં આવે છે. જે જે અનુમાન વડે જાણવામાં આવે તે કોઈને પ્રત્યક્ષ (જાણવામાં) પણ હોય છે. જેમ દૂર રહેલી અગ્નિનું આપણે ધૂમાડો દેખીને અનુમાન કરી લઈએ છીએ તો કોઈ એને પ્રત્યક્ષ પણ જાણતો હોય છે. તે જ પ્રમાણે સૂક્ષ્મ, અંતરિત અને દૂરવર્તી પદાર્થોને આપણે અનુમાન વડે જાણીએ છીએ તો કોઈ એમને પ્રત્યક્ષ પણ જાણી શકે છે. આ પ્રમાણે સામાન્યતઃ સર્વજ્ઞની સત્તા સિદ્ધ થાય છે. ૫. स त्वमेवासि निर्दोषो, युक्तिशास्त्राविरोधिवाक् । अविरोधो यदिष्टं ते, प्रसिद्धेन न बाध्यते ।। ६ ।। હે ભગવાન! તે વીતરાગી અને સર્વજ્ઞ આપ જ છો, કારણ કે આપની વાણી યુક્તિ અને આગમથી અવિરુદ્ધ છે. જે કાંઈ પણ આપે કહ્યું છે તે પ્રત્યક્ષાદિ પ્રસિદ્ધ પ્રમાણોથી બાધિત થતું નથી. તેથી આપની વાણી અવિરુદ્ધ કહેવામાં આવી છે. ૬. त्वन्मतामृत बाह्यानां सर्वथैकान्तवादिनाम् । आप्तामिमानदग्धानां स्वेष्टं दृष्टेन बाध्यते ॥ ७ ॥ હે ભગવાન! આપે પ્રતિપાદન કરેલ અનેકાન્તમતરૂપી અમૃતથી ৩৩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83