Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપલબ્ધ જાણકારી અનુસાર એમનો સમય વિક્રમ સંવતનો આરંભકાળ છે. શ્રુતસાગરસૂરિએ “પ પ્રાભૃત” ની ટીકા-પ્રશસ્તિમાં એમને કલિકાલ-સર્વજ્ઞ કહ્યા છે. એમને કેટલીય ઋદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી અને એમણે વિદેહક્ષેત્રમાં બિરાજમાન વિધમાન તીર્થકર ભગવાન શ્રી સીમંધરનાથનાં સાક્ષાત્ દર્શન કર્યા હતાં. વિક્રમ સંવત્ ૯૯૦ માં થઈ ગયેલા દેવસેનાચાર્યે પોતાના “દર્શનસાર” નામના ગ્રંથમાં તે સંબંધી આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : जइ पउमणंदिणाहो, सीमंधरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।। શ્રી સીમંધરસ્વામી પાસેથી પ્રાપ્ત થયેલ દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુન્દકુન્દાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેવી રીતે જાણત ? એમનું મૂળ નામ પદ્મનંદિ છે. કોડકુડપુરના વાસી હોવાથી તેઓ કુન્દ્રકુન્દ્રાચાર્ય કહેવાવા લાગ્યા. કુન્દકુન્દાચાર્યદેવના નીચે લખેલા ગ્રંથો ઉપલબ્ધ છે – સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ, દ્વાદશાનુપ્રેક્ષા અને દશભક્તિ. રયણસાર અને મૂલાચાર પણ એમના જ ગ્રંથો કહેવામાં આવે છે. કહેવાય છે કે એમણે ચોર્યાસી પાહુડ લખ્યાં હતાં. એમ પણ કહેવાય છે કે એમણે પખંડાગમ'ના પ્રથમ ત્રણ ખંડો પર “પરિકર્મ' નામની ટીકા લખી હતી, જે ઉપલબ્ધ નથી. સમયસાર જૈન અધ્યાત્મનું પ્રતિષ્ઠાપક અદ્વિતીય મહાન શાસ્ત્ર છે. પ્રવચનસાર અને પંચાસ્તિકાયમાં જૈન સિદ્ધાંતોનું વિશદ વિવેચન છે. આ ત્રણેને નાટકત્રયી, પ્રાભૃતાત્રયી અને કુન્દકુન્દત્રયી પણ કહેવામાં આવે છે. આ ત્રણે ગ્રંથો પર આચાર્ય અમૃતચંદ્ર સંસ્કૃત ભાષામાં ગંભીર ટીકાઓ લખી છે. એના પર આચાર્ય જયસેનની સંસ્કૃત ટીકાઓ પણ ઉપલબ્ધ છે. લગભગ ચાલીસ વર્ષથી આચાર્ય કુન્દકુન્દના ગ્રંથોને આધ્યાત્મિક સપુરુષ શ્રી કાનજીસ્વામીએ જન-જનની વસ્તુ બનાવી દીધી છે. તેમણે ४० Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83