Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 41
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પાઠ ૬ છ કારકો આચાર્ય કુન્દકુન્દ (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી । મંગલ કુન્દકુન્દાર્યો, જૈન ધર્મોઽસ્તુ મંગલમ્।। ૫૨મ આધ્યાત્મિક સન્ત શ્રી કુકુન્દાચાર્યદેવ સમગ્ર દિગંબર જૈન આચાર્ય પરંપરામાં સર્વોચ્ચ સ્થાન પર બિરાજી રહ્યા છે. ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી તરત જ મંગળસ્વરૂપે તેમનું સ્મરણ કરવામાં આવે છે. પ્રત્યેક દિગંબર જૈન ઉપરોક્ત છંદ શાસ્ત્ર-સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં હંમેશા શ્રદ્ધાપૂર્વક બોલે છે. દિગંબર મુનિઓ પોતાને કુકુન્દાચાર્યની પરંપરાના કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. દિગંબર જૈન સમાજ કુન્દકુન્દ્રાચાર્યદેવના નામથી અને કામ ( મહિમા ) થી જેટલા પિરિચત છે તેટલા જ તેમના જીવન વિષે અપરિચિત છે. લોકેષણાથી અલિપ્ત રહેવાવાળા અન્તર્નિમગ્ન શ્રી કુન્દકુન્દે પોતાના સંબંધમાં ક્યાંય કશું પણ લખ્યું નથી. ‘હાદશાનુપ્રેક્ષા' માં માત્ર નામનો ઉલ્લેખ છે. એ જ પ્રમાણે ‘બોધપાહુડ' માં પોતાને, દ્વાદશાંગના જ્ઞાતા અને ચૌદ પૂર્વનો વિપુલ પ્રસાર કરનારા શ્રુતજ્ઞાની ભદ્રબાહુના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. જો કે પશ્ચાત્ર્તી ગ્રંથકારોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમનો ઉલ્લેખ કર્યો છે, અને તેથી એમની મહાનતા પર પ્રકાશ પડે છે, તો પણ એમના જીવન સંબંધી કોઇ વિશેષ જાણકારી પ્રાપ્ત થતી નથી. ૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83