Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૩ પુણ્ય અને પાપ સમસ્ત ભારતીય દર્શનોમાં આત્મા-પરમાત્મા, બંધ-મોક્ષ અને લોક-પરલોક - એ વિષયોની સાથે સાથે પુણ્ય-પાપ એ પણ ખૂબ ચર્ચા પામેલો વિષય બન્યો છે. પુણ્ય-પાપ કોને કહે છે અને એમનું મુક્તિના માર્ગમાં શું સ્થાન છે? આ વિષય સંબંધી જૈન દર્શનના સંદર્ભમાં મીમાંસા કરવી એ જ અહીં વિચારણીય વિષય છે. આચાર્ય કુંદકુંદથી માંડીને આજ સુધી જૈન સાહિત્યના દરેક યુગમાં પુણ્ય-પાપ સંબંધી મીમાંસા થતી રહી છે. આજે પણ એ ચર્ચાનો મુખ્ય વિષય છે. વિવાદ પુણ્ય-પાપની પરિભાષા (વ્યાખ્યા) સંબંધી નથી, પરંતુ મુક્તિ-માર્ગમાં એમનું સ્થાન શું છે તે બાબતે વિવાદ છે. પુણ્ય અને પાપ બેઉ આત્માના વિકારી અંતઃપરિણામો છે. દેવપૂજા, ગુરુઉપાસના, દયા, દાન, વ્રત, શીલ, સંયમ આદિના પ્રશસ્ત પરિણામ (શુભ ભાવ) પુણ્ય ભાવ કહેવામાં આવે છે અને એનું ફળ અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહસંચય આદિના ભાવ તે પાપ ભાવ છે અને એનું ફળ પ્રતિકૂળતાઓ છે. સામાન્યજનો પુણ્યનું ભલું અને પાપને બુરું માને છે, કારણ કે મુખ્યપણે પુણ્યથી મનુષ્ય વા દેવ ગતિની પ્રાપ્તિ થાય છે અને પાપ વડે નરક વા તિર્યચ ગતિની. પરંતુ એમનું ધ્યાન એ તરફ જતું નથી કે ચારેય ગતિ સંસાર જ છે, દુ:ખ-રૂપ જ છે. ચારેય ગતિમાં દુ:ખ જ દુ:ખ છે, સુખ કોઈપણ ગતિમાં નથી. પંડિત દોલતરામજીએ છઢાળાની પહેલી ઢાળમાં ચારેય ગતિમાં દુ:ખ જ દુઃખ બતાવ્યું છે. એ પ્રમાણે વૈરાગ્યભાવનામાં અતિસ્પષ્ટ લખ્યું છે: જો સંસાર વિર્ષે સુખ હો તો, તીર્થકર કયો ટાર્ગે કાહે કો શિવસાધન કરતે, સંજમ સૌ અનુરાગૈTI ૧૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83