Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનિષ્ટ જણાય છે અને પુણ્ય પ્રિય લાગે છે. સંક્લેશ પરિણામોથી પાપબંધ થાય છે અને વિશુદ્ધ પરિણામોથી પુણ્ય બંધ; આ પ્રમાણે બન્નેમાં કા૨ણ ભેદ વિધમાન છે. પાપના ઉદયથી દુ:ખ થાય છે, જેનો સ્વાદ કડવો લાગે છે અને પુણ્યના ઉદયથી સુખ થાય છે, જેનો સ્વાદ મધુર છે. આ પ્રમાણે બન્નેમાં ૨સભેદ રહેલો છે. પાપ પરિણામ સ્વયં સંકલેશરૂપ છે અને પુણ્યભાવ વિશુદ્ધરૂપ છે; તેથી બન્નેમાં સ્વભાવભેદ પણ વિધમાન છે. પાપથી નરકાદિ કુતિઓમાં જવું પડે છે અને પુણ્યથી દેવાદિ સુગતિની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે બન્નેમાં લભેદ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. છતાં આપ બન્નેને સમાન કેવી રીતે કહો છો ? ગુરુઃ- પાપ બંધ પુત્ર બંધ દુહૂમૈં મુકતિ નાંહિ, કટુક મધુર સ્વાદ પુગ્ગલકો પેખિએ સંક્લેસ વિસુદ્ધ સહજ દોઊ કર્મચાલ, કુતિ સુગતિ જગજાલમૈ વિસેખિએ ।। કારનાદિ ભેદ તોહિ સૂઝત મિથ્યાત માંહિ, ઐસૌ દ્વૈત ભાવ ગ્યાન દષ્ટિમૈં ન લેખિએ1 દોઊ મહા અંધકૂપ દોઊ કર્મબંધરૂપ, દુહૂકો વિનાસ મોખ મારગમૈખિએ।। ૬।। આના ઉત્તરમાં ગુરુ કહે છે કે પાપબંધ અને પુણ્યબંધ બન્નેય મુક્તિના માર્ગમાં બાધક છે, તેથી બન્ને સમાન જ છે. કડવો અને મધુર સ્વાદ પણ પુદ્દગલજન્ય છે, તથા સંકલેશ અને વિશુદ્ધ ભાવ બન્દેય વિભાવ ભાવ છે તેથી એ પણ સમાન જ છે. કુતિ અને સુગતિ બન્ને ચતુર્ગતિરૂપ સંસારમાં જ છે, તેથી ફલભેદ પણ નથી. પુણ્ય-પાપમાં કારણ, રસ, સ્વભાવ અને ફલ ભેદ વાસ્તવિકપણે નથી; મિથ્યાત્વને કારણે અજ્ઞાનીને માત્ર આભાસપણે દેખાય છે, જ્ઞાનીને આવા ભેદ દષ્ટિગત થતા નથી. પુણ્ય અને પાપ બન્નેય અંધકૂપ છે, બન્નેય કર્મબંધરૂપ છે અને મોક્ષમાર્ગમાં બન્નેનોય અભાવ થતો જોવામાં આવે છે. મોક્ષમાર્ગમાં તે એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છેઃ ૨૨ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83