Book Title: Tarkna Tankna Shraddhanu Shilpa
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 132
________________ જરૂર બન્યું રહે. વાત એટલી છે કે આ વસ્તુ, જડ વૈભવ-વિલાસ નહિ પણ અનંતા આત્મવૈભવ-વિલાસની ઉત્કટ ભૂખ લાગી હોય તો બને. ૧૦ર હેય અને ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન જીવનમાં અશુભની નિવૃત્તિ અને શુભની પ્રવૃત્તિ માટે ઉપયોગી બને. પણ, જે તત્ત્વો માત્ર શેય છે તેને ' જાણીને શું કરવાનું? | | શેય તરીકે માન્યા પછી એટલે કે ખાલી જાણવા લાયક માન્યા પછી ' હૈયાને લાગે કે આના પર રાગ-દ્વેષ કરવા લાયક નહીં. ગમતા પ્રત્યે રાગ અને અણગમતા પ્રત્યે દ્વેષ કરવા યોગ્ય નહીં. માત્ર ઉદાસીન ભાવે નિરખવા યોગ્ય. આમ હૈયાને લાગી જવાથી પછી એ જાઓ કે સર્વજ્ઞ ભગવાને જે જીવો અને અજીવોનો બોધ આપ્યો છે એ એટલી બધી વિશાળ સંખ્યામાં છે કે એમાં મારી સાથે આવતા વિષયો તો વિસાતમાં નથી તો આના પર શા રાગ દ્વેષ કરવા જેવા છે : જીવો પર રાગદ્વેષ અટકાવવા આમ વિચારાય: દા. ત. મને ગમતા વિષયોમાં જીવ તરીકે પત્ની, પુત્ર, પુત્રી કે સ્નેહી સંબંધીઓ યા જોવા મળતી અમુક ગણતરીની જ સ્ત્રીઓ વગેરે જ નજરમાં આવવાની પરંતુ જ્ઞાનીએ ઓળખાવેલ જીવોમાં તો સ્વર્ગમાં અને મનુષ્ય લોકમાં રૂપાળા કહ્યાગરા સેવાભાવી કેટલાય દેવો દેવીઓ અને નર-નારીઓ છે. એ મહાજાથની આગળ મળેલી સંખ્યા સમુદ્રમાં એક ટીપા તુલ્ય છે તો એમ તો રાગ કરવો હોય તો તો એ બધા ક્યાં ઓછા છે ? પરંતુ ક્યાં હું એના પર રાગ કરવા જાઉં છું? અગર એ કરવા જાઉં તો ય શું વળે ? જોવા ય મળવાના નથી તો ભોગવવાની વાતે ય ક્યાં ? ત્યારે જો એવા મહારમણીય અને કેટલા ય બધા રૂપાળા જીવો પર રાગ કર્યા વિના ચાલી શકે છે તો પછી અહીં મળેલ નિર્માલ્ય અને અતિ અલ્પ જીવો પર રાગ ન કરૂં તો શો વાંધો આવે ? એ સંપર્કમાં આવ્યા તો ભલે આવ્યા. મારે તો માત્ર જોવાના. પણ એના પર રાગથી ઓવારી જવાનું નહીં. એવી રીતે અહીં સંપર્કમાં આવતા અણગમતા જીવો પ્રત્યે દ્વેષ થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192